મીશ્ર વાતાવરણને કારણે રોગચાળો વધતા લોકો પરેશાન: જનજીવન પર અસર
જામનગર સહિત સમગ્ર હાલારમાં થોડા દિવસ ઝાકળભર્યુ વાતાવરણ રહ્યા બાદ ફરીથી ગરમીનું વાતાવરણ શરુ થયું છે, ગઇકાલે બપોરે પણ ગરમીનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ સવાર-સાંજ ઠંડીનું વાતાવરણ જોવા મળે છે. તાપમાન ધીરે-ધીરે વધતું જાય છે, જેને કારણે બપોરે ૧૨ થી ૫ દરમ્યાન અસહ્ય ગરમી જોવા મળે છે, સવાર-સાંજ ઠંડો પવન હોવાથી રોગચાળો પણ વધતો જતો હોવાનું જાણવા મળે છે.
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ત્રણ અઠવાડીયાથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. આજે સવારે આછેરી ઝાકળ જોવા મળી હતી, જો કે હવામાં ભેજ ૯૪ ટકા રહ્યો હતો. આજે સવારથી ગઇકાલ સાંજની જેમ જ ઠંડો પવન ફુંકાતા વોકીંગ કરનારાઓને મુશ્કેલી પડી હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૭.૫ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૯.૫ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૯૪ ટકા અને પવનની ગતિ ૨૦ થી ૨૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી. વસંતપંચમી નજીક આવી રહી છે ત્યારે ધીરે-ધીરે ગરમીમાં વધારો થઇ રહ્યો છે, લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી નજીક પહોંચી રહ્યું છે, આગામી દિવસોમાં ગરમીની શરુઆત થઇ જશે તેમ મનાય છે. ગામડાઓમાં પણ બપોરે ખેતરમાં કામ કરતા ખેડુતોને ગરમીને કારણે કામ કરવામાં થોડી તકલીફ શરુ થઇ છે. આમ હવે મીશ્ર ઋતુને કારણે ગળુ બેસી જવું, તાવ, શરદી, ઉધરસના કેસોમાં સારો એવો વધારો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech