ઉષ્ણ લહેર શ થવાથી આગામી બે દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે
જામનગર સહિત સમગ્ર હાલારમાં ગરમી યથાવત છે હજુ પણ લોકો અકળાઇ રહ્યા છે. ઉષ્ણ લહેર શ થવાને કારણે આગામી ચાર દિવસથી આકાશમાંથી અગનગોળા વરસશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. હાલારમાં કયાંક ઝાકળ જોવા મળે છે. એટલું જ નહિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીઝીબીલીટી ઘટવાથી બફારો શ થયો છે. અને તાપમાન ૩૯ ડીગ્રી નજીક પહોંચતા તંત્ર પણ એલર્ટ બન્યુ છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૮.૬ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩.૫ ડીગ્રી, હવામાં ભેજ ૭૭ ટકા, પવનની ગતિ ૧૫ થી ૨૦ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના ૬ વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે.
દિવસોમાં તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે અને કેટલાક ગામોમાં સહી ન શકાય તેવો તાપ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે, ગઇકાલે રાત્રે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને પવન ફુંકાયો હતો, જો કે બપોરના ૧૧ થી ૫ દરમ્યાન આકરી રહે છે, ઉનાળાની શઆતમાં જ આ પ્રકારની ગરમી જોવા મળતા લોકોના કહેવા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ જોવા મળશે.ગઇકાલે બપોરે બાદ આકાશમાંથી જાણે કે અગન ગોળા વરસ્યા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું ચારેકોર બફારાના કારણે લોકો પણ પરેશાન થઇ ગયા છે. છેલ્લા અઠવાડીયાથી કાલાવડ, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ફલ્લા, લાલપુર, સલાયા, દ્વારકા, ઓખા મંડળ, ખંભાળીયા, રાવલ, ભાટીયા, સલાયા સહિતના ગામોમાં પણ આકાશમાંથી લૂ વરસી રહી છે.
ગઇકાલે રાજકોટ રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું અને તાપમાન ૪૩.૫ ડીગ્રીએ પહોંચી જતા લોકો કંટાળી ગયા હતા.ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે,
તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શ થશે અને ગામડાઓમાં પણ આકરો તાપ શ થઇ ચૂકયું છે, આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૪૨ ડીગ્રીએ પહોંચી ગયું છે.
આકરા તાપને કારણે જામનગર સુધી ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે.