ગુજરાત હાઇકોર્ટ ધ્વનિ પ્રદૂષણને લઈને જીપીસીબી પોલીસ સહિતના વિભાગોને સામે ખફા થઈ છે ડીજેના પરિણામે પરીક્ષાની તૈયારી કરી રહેલા વિધાર્થીઓ અને દર્દીઓને વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રાય સરકારના ત્રીજી ડિસેમ્બર ૨૦૧૯ ના જાહેરનામાનો ભગં થઈ રહ્યું હાઇકોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના નિર્દેશો અને સરકારના વર્ષ ૨૦૧૯ના જાહેરનામાના ભગં બદલ કન્ટેમ્પ અરજી દાખલ કરવામાં આવી છે. જેની સુનાવણીમાં એવી દલીલ કરાઇ હતી કે, હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ડી.જેના ઐંચા અવાજના કારણે ધ્વનિ પ્રદૂષણથી વિધાર્થીઓને હાલાકી પડી રહી છે. હાઇકોર્ટે જીપીસીબી, અમદાવાદ પોલીસ કમિશનર, અમદાવાદ ગ્રામ્ય એસ.પીને નોટિસ આપીને કોર્ટના નિર્દેશોના પાલન માટે તૈયાર કરાયેલ પોલિસી કે મિકેનિઝમ કોર્ટ સમક્ષ મૂકવા હત્પકમ કર્યેા છે. આ મુદ્દે વધુ સુનાવણી ચાર અઠવાડિયા બાદ યોજાશે. સુનાવણી દરમિયાન કોર્ટે એવી ટકોર કરી હતી કે ધ્વનિ પ્રદૂષણથી દરેક વ્યકિત પીડિત છે.
હાઇકોર્ટના જજ પોતાની ચેમ્બરમાં બેઠા હતા. યાં બાજુમાં આવેલ પાર્ટી પ્લોટમાં ડી.જે વાગતા, ચેમ્બરના દરવાજા ધ્રૂજતા હતા. કોર્ટે નોંધ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણથી બાળકો, હોસ્પિટલના દર્દીઓ અને વૃદ્ધો સૌથી વધુ પરેશાન થાય છે. અરજદારે ધ્વનિ પ્રદૂષણ અંગે સમાચારોમાં આવેલી ત્રણ ઘટના પણ કોર્ટ સમક્ષ મૂકી હતી. જેમાં ગુજરાતના એક ગામમાં લમાં બે ડી.જે સામસામે આવી ગયા હતા અને લ અટકી પડા હતા, તેનો પણ ઉલ્લ ેખ હતો.
જાહેરનામાનો ભગં થઈ રહ્યો છે. અરજીમાં અરજદારે રજૂઆત કરી હતી કે ધ્વનિ પ્રદૂષણ એક ગંભીર મુદ્દો છે. જાહેર હિતની અરજીમાં ૦૪ માર્ચ, ૨૦૨૪ના આદેશ, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અને સરકારના ૦૩ ડિસેમ્બર, ૨૦૧૯ના જાહેરનામાનું ભગં થઈ રહ્યો છે. આરજી પર વધુ સુનામી એક મહિના પછી હાથ ધરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech