ગોંડલમાં જ્ઞાતિ અંગે અપમાનિત કરી પડખામાં છરીનો ઘા ઝીંકયો

  • August 16, 2024 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલમાં સમાધાન માટે ભેગા થયા હતા દરમિયાન યુવાનને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી પડખાનાભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. યારે જસદણમાં યુવાનને પિતરાઈ ભાઈએ મારમારી છરી ઝીકી દીધી હતી.
મારામારીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં ભગવતપરા વિસ્તારમાં રહેતા રમેશભાઈ બાલાભાઈ સોલંકી (ઉ.વ ૫૫) દ્રારા ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અક્રમ યુનુસભાઈ ફકીર, રાહીલ યુનશભાઈ ફકીર (રહે. બંને સુમરા સોસાયટી, ગોંડલ)ના નામ આપ્યા છે.
રમેશભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પુત્ર કરણ અને તેના મિત્ર વસીમ સાથે અગાઉ આરોપીને માથાકૂટ થઈ હોય જેના સમાધાન માટે એકત્ર થયા હતા.ત્યારે અક્રમે ઉશ્કેરાઇ ફરિયાદીના પુત્ર કરણને જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી આજે તો તને જીવતો મૂકવો નથી તેમ કહી ગાળો આપી હતી અને નેફામાંથી છરી કાઢી પડખાના ભાગે ઝીંકી દીધી હતી. તેમજ અન્ય આરોપી રાહીલે કરણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે યુવકના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મારામારીના અન્ય બનાવમાં જસદણમાં પોલારપર રોડ પર રહેતા પંકજભાઈ દેવકુભાઈ મેણીયા (ઉ.વ ૩૨) નામના યુવાને જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે, ગઈકાલ સાંજના તે અહીં પોલારપર રોડ પર દુકાને બેઠો હતો ત્યારે કુટુંબી કાકાનો દીકરો જયદીપ મેણીયા ધસી આવ્યો હતો અને કહ્યું હતું કે, તું મારા પપ્પા સામે વારંવાર કાતર કેમ મારશ? તેમ કહી બોલાચાલી કરી ઝપાઝપી કરી, છરી વડે છરકો કરી દીધો હતો. બાદમાં તેના પિતા મનોજભાઈ મેણીયા ઘરે આવી ગાળો આપી હતી. જેથી યુવાને પિતા–પુત્ર બંને સામે ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application