ઉત્તરાખંડની હરેલા યાત્રા જામનગર આવી પહોંચી

  • August 21, 2024 12:53 PM 

કાલે બાલા હનુમાન મંદિરે દર્શન


ઉત્તરાખંડની સાંસ્કૃત્તિક ધરોહર એવા હરેલા પર્વને રાષ્ટ્રિય પર્વ ઘોષિત કરવાની માંગણી સાથેની હરેલા સંકલ્પ યાત્રા તા.10 ઓગષ્ટથી તૃતિય કેદારરુપ રુદ્રપ્રયાગના તુંગનાથ મંદિરથી પ્રારંભ થઇ છે. આ યાત્રા ‘છોટી કાશી’જામનગરમાં આવી પહોંચી છે. યાત્રા દ્રાક્ષના નાનકડા વૃક્ષ સાથે આવતીકાલ તા. 22ના રોજ સવારે 10.30 વાગ્યાથી બપોરે 1.30 સુધી શહેરના વિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન ખાતે પધરામણી કરશે. આ હરેલા યાત્રા સાથે દ્રાક્ષના વૃક્ષનું પૂજન કરવા પધારવા ‘છોટી કાશી’ના ભાવિકજનોને બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application