હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગરોડ પરના વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ કેશોદમાં રહેતા પતિ સહિતના સાસરીયા સામે શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
હાલ રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ પર ઓમનગર પાસે ગિરનાર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી રીટાબેન (ઉ.વ 30) નામની પ્રજાપતિ પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેશોદમાં રહેતા પતિ જગદીશભાઈ મગનભાઈ ટાંક, સાસુ જયાબેન મગનભાઈ ટાંક, સસરા મગનભાઈ ટાંક, દિયર અનિલભાઈ ટાંક અને વડોદરામાં રહેતી નણંદ વષર્િ હિતેશભાઈ નૈના ના નામ આપ્યા છે.રીટાબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ તેણીના બીજા લગ્ન છે તેને સંતાનમાં આગલા ઘરની એક પુત્રી છે. લગ્નના ત્રણેક માસ બાદથી સાસરીયાઓ નાની-નાની વાતમાં ત્રાસ આપવા લાગ્યા હતા લગ્ન સમયે આંગળિયાત પુત્રીની જવાબદારી સાસરીયાઓ લીધી હતી. પરંતુ બે મહિના બાદ સાસરિયાઓ તેની પુત્રીને માવતર મોકલી આપવા દબાણ કરતા હતા.પતિ લગ્નનની પહેલી રાતથી શારીરિક સંબંધ બાંધી શકયો ન હોય જેથી તેને લગ્નના એકાદ મહિના બાદ પતિને તેની શારીરિક નબળાઇ બાબતે દવા લેવાનું કહેતા પતિએ ઝઘડો કર્યો હતો.સાસુ ઘરની બહાર નીકળવા ન દેતા કે કોઈ સાથે વાત પણ કરવા દેતા ન હતા. ઘરમાં કોઈ ચીજવસ્તુની જરૂરિયાત હોય તો તે દિયર લઈ આવતો હતો સાસુ કામવાળીની જેમ રાખતા હતા અને કહેતા તને કામ કરવા માટે જ લઈ આવ્યા છીએ બાકી હું તો તારી સાથે મારા દીકરાનો સબંધ કરવાની ના પાડતી હતી તેમ કહી ત્રાસ આપતા હતા. વડોદરામાં રહેતી નણંદ ઘરે આવે ત્યારે અને ફોનમાં સાસરિયાઓની ચડામણી કરતી હતી.આંગળિયાત પુત્રી બાબતે મેણાટોણા મારી ટોર્ચર કરતા હતા.
પરિણીતાએ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા ઘરે નાની બાબતે માથાકૂટ થતાં સાસુએ તું ચાલતી થઈ જા તારી જેવીની મારે કાંઈ જરૂર નથી મેં પહેલા જ મારા દીકરાને તારી સાથે લગ્નની ના પાડી હતી તેમ કહી ગાળો આપી હતી. આથી પરિણીતા પિયર જવા નીકળતા બસ સ્ટેન્ડએ પહોંચતા ત્યાં પતિ અને દીયરે આવી સમાધાનના બદલે ઝઘડો કર્યો હતો. બાદમાં પતિ તેને રાજકોટ સાસરે મૂકી ગયો હતો. બે માસ પૂર્વે સાસરિયાઓ સમાધાન કરવા આવ્યા ત્યારે દિયરે ગાળો આપી ઝઘડો કર્યો હતો. જેથી અંતે પરિણીતાએ આ મામલે પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech