બિહારની એક શાળામાં શિક્ષક પર હનુમાનજીને મુસ્લિમ કહેવાનો આરોપ લાગ્યા બાદ હંગામો મચી ગયો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે મુખ્યમંત્રી પાસે કાર્યવાહીની માંગ કરી છે. બેગુસરાયની અપગ્રેડેડ મિડલ સ્કૂલ, હરિપુર કાદરાબાદમાં, વાલીઓ ગઈકાલે સ્કૂલ પહોંચ્યા હતા અને બાળકોને ભણાવતી વખતે એક શિક્ષકે હનુમાનજી વિશે ખોટી માહિતી આપી ત્યારે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે જણાવ્યું કે, શાળાના વિદ્યાર્થીઓ કહે છે કે શિક્ષક જિયાઉદ્દીને તેમને શીખવ્યું હતું કે હનુમાનજી મુસ્લિમ હતા અને તેઓ નમાઝ અદા કરતા હતા. હું મુખ્યમંત્રીને અપીલ કરીશ કે આવા શિક્ષક સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આવા શિક્ષકો રહેશે તો સમાજમાં નફરત ફેલાશે.આરોપ છે કે શિક્ષકે શાળામાં વિદ્યાર્થીઓને કહ્યું કે હનુમાનજી દિવસમાં પાંચ વખત નમાજ અદા કરતા હતા. સ્કૂલની વિદ્યાર્થિનીએ કહ્યું કે, હનુમાનજી હિંદુ ધર્મના પહેલા ભગવાન છે જેમણે નમાજ અદા કરી હતી અને રામજીએ તેમને નમાજ અદા કરી હતી. હનુમાનજી મુસ્લિમ છે. વિદ્યાર્થીઓના માતા-પિતાઓએ જણાવ્યું કે શાળામાં તૈનાત એક શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું કે સાતમા ધોરણમાં વાંચન દરમિયાન હનુમાનજી વિશે ખોટી માહિતી આપવામાં આવી હતી. જ્યારે તેને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેના માટે માફી માંગી હતી. મામલો વેગ પકડતો જોઈને બીડીઓ અભિષેક રાજ અને બ્લોક એજ્યુકેશન ઓફિસર શાળાએ પહોંચ્યા અને તપાસ કરી હતી. બીડીઓએ કહ્યું કે, શિક્ષકે જાહેરમાં માતા-પિતાની માફી માંગી છે. જો કે, તપાસ દરમિયાન શિક્ષકે તેના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech