પોરબંદરમાં જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઇ ફુલે સમર કેમ્પ યોજાયો

  • May 27, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના નરસંગટેકરી ખાતે ડો.બી.આર.આંબેડકરનગર ખાતે જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં વિશાળ સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો.
પોરબંદરના ડો. આંબેડકરનગર નરસંગ ટેકરી ખાતે ૧૫ દિવસના જ્ઞાન જ્યોતિ સાવિત્રીબાઈ ફુલે સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કેમ્પમાં નરસંગ ટેકરી વિસ્તારના લગભગ ૮૦ બાળકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.આ સમર કેમ્પમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે તે હેતુથી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં રમતો, આર્ટ એન્ડ ક્રાફ્ટ, વેસ્ટમાંથી બેસ્ટ, ચિત્રકામ, ગીત, નૃત્ય, ગ્લાસ પેઈન્ટિંગ તેમજ ભારત દેશના મહાનાયકો વિશે પ્રેરણાદાયી વક્તવ્યોનો સમાવેશ થતો હતો.આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યુ હતુ.
સમર કેમ્પના અંતિમ દિવસે, ભાગ લેનાર તમામ બાળકોને ડો.આંબેડકરનગરની શિક્ષકોની ટીમ દ્વારા શૈક્ષણિક કીટ પ્રોત્સાહન ઈનામ સ્વરૂપે આપવામાં આવી હતી.આ કીટ બાળકોના શૈક્ષણિક વિકાસને વધુ ઉત્તેજન આપશે.આ સમગ્ર કેમ્પનું આયોજન અને સંચાલન સંગીતાબેન પરમાર,દીપ્તિબેન પાંડાવદરા અને શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
તેમના સમર્પિત પ્રયાસો અને નિષ્ઠાએ આ કેમ્પને સફળ બનાવ્યો.આ સમર કેમ્પ બાળકો માટે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક અનુભવનું એક અનોખું માધ્યમ બન્યું, જે ભવિષ્યમાં પણ આવા આયોજનો માટે પ્રેરણારૂપ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application