આંતરરાષ્ટ્ર્રીય યોગ દિવસ નિમિત્તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં યોગ કર્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલી સોશિયલ મીડિયા ઇનલુએન્સર અર્ચના મકવાણાને વડોદરા પોલીસે સુરક્ષા પુરી પાડી છે. અર્ચના મકવાણાએ તેની સામે એફઆઈઆર નોંધાયા બાદ એક વીડિયો શેર કર્યેા છે. જેમાં તેમણે સુરક્ષા આપવા બદલ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારનો આભાર માન્યો છે. અર્ચનાએ કહ્યું કે હત્પં સુરક્ષિત છું, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મને પ્રોટેકશન આપ્યું છે. અર્ચનાએ ઈન્સ્ટાગ્રામ પરથી ફોટો હટાવી લીધો હતો અને આ અંગે માફી માંગી હતી, પરંતુ તેણે આરોપ લગાવ્યો હતો કે તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ગુજરાતના વડોદરામાં રહેતી અર્ચના મકવાણા વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે. તે હાઉસ ઓફ અર્ચના ના નામથી પોતાની બ્રાન્ડ ચલાવે છે. અર્ચનાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે. અર્ચના મકવાણાએ યોગ દિવસ પર સુવર્ણ મંદિરમાં યોગ કર્યા હતા અને તેના ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર પોસ્ટ કર્યા હતા. આ તસવીરોમાં અર્ચના મકવાણા શ્રી દરબાર સાહિબમાં શીર્ષાસન કરતી જોવા મળી હતી. આ ફોટો વાયરલ થતાં હોબાળો મચી ગયો હતો. શિરોમણી ગુદ્રારા પ્રબંધન સમિતિએ આના પર સખત વાંધો વ્યકત કર્યેા હતો અને અર્ચના મકવાણા સામે કેસ નોંધ્યો હતો. આ હંગામા પછી, ઇન્સ્ટાગ્રામ ઇનલુએન્સર અર્ચના મકવાણાએ એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે માફી માંગી હતી. તેણે લખ્યું કે મારો ઈરાદો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech