ગુજરાત સરકારે નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં ૧૫,૦૦૦ કયુસેક પાણી છોડ્યુ
ગુજરાત સરકારે નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં ૧૫,૦૦૦ કયુસેક પાણી છોડ્યુ
June 12, 2026 10:37 AM
સમગ્ર રાજયમાં ઉનાળાની ભીષણ અને આકરી ગરમી પડી રહી છે ત્યારે નાગરિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને ખેડૂતોના પાકને બચાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્રારા નર્મદા ડેમમાંથી નર્મદા મુખ્ય કેનાલમાં ૧૫,૦૦૦ કયુસેક જેટલો માતબર પાણીનો જથ્થો છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે કેનાલ મારફતે છેક કચ્છના અંતરિયાળ વિસ્તારો સુધી પાણી પહોંચાડી દેવામાં આવ્યું છે, જેને કારણે ઉત્તર ગુજરાત અને કચ્છના સૂકા પંથકોમાં ભારે હર્ષેાલ્લાસ વ્યાપી ગયો છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલો કિંમતી ઉનાળુ પાક પાણીના અભાવે સુકાઈ જવાની આરે પહોંચ્યો હતો. મોંઘા લોન અને બિયારણ લાવીને ઉછેરેલા આ પાકને નષ્ટ્ર થતો બચાવવા માટે રાયભરના ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ નર્મદાનું પાણી આપવા માટે માંગણી કરી હતી. ધરતીપુત્રોની આ વ્યાજબી અને ન્યાયિક માંગણીને ધ્યાને રાખીને સરકારે નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી છોડવાનો આદેશ આપ્યો હતો. સરકારના આ ગ્રીન સિલ બાદ આજે ૧૫,૦૦૦ કયુસેક પાણી કેનાલ મારફતે ધસમસતું વહાવવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો, ડેમની હાલની જળ સપાટી ૧૨૭.૬૪ મીટર પર પહોંચી છે. ઉનાળાની સિઝન હોવા છતાં પણ ડેમમાં પાણીની સ્થિતિ ઘણી જ મજબૂત જોવા મળી રહી છે. આ સાથે જ ડેમમાં આજે પણ ઉપરવાસમાંથી સતત ૫,૦૦૦ કયુસેક પાણીની નવી આવક ચાલુ જ છે, જે એક ખૂબ જ શુભ સંકેત માનવામાં આવી રહ્યો છે. પાણીની આ સતત થઈ રહેલી આવકને કારણે ડેમનું જળસ્તર જળવાઈ રહ્યું છે અને વહીવટી તત્રં પણ પૂરતી તકેદારી સાથે પાણીનું મેનેજમેન્ટ કરી રહ્યું છે.આ વર્ષે નર્મદા ડેમમાં પાણીનો એટલો પર્યા અને વિપુલ જથ્થો ઉપલબ્ધ છે કે આગામી પૂરા એક વર્ષ સુધી સમગ્ર ગુજરાતને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂં પાડવા માટે નર્મદા ડેમ સંપૂર્ણપણે સક્ષમ છે. આ આંકડાઓ દર્શાવે છે કે આકરા ઉનાળામાં પણ ગુજરાત પર પાણીનું કોઈ સંકટ નથી અને રાય જળ સુરક્ષાની દ્રષ્ટ્રિએ એકદમ મજબૂત સ્થિતિમાં છે. સરકારના આ હકારાત્મક અને ત્વરિત પગલાને કારણે રાયના લાખો ખેડૂતોનો મોંઘોદાટ ઉનાળુ પાક બળી જતાં બચી જશે અને તેને નવું જીવતદાન મળશે. આ ઉપરાંત, ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ ઉનાળાના આકરા દિવસોમાં પીવાના પાણીની કોઈ તંગીનો સામનો નાગરિકોએ કરવો નહીં પડે.