ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા
જામનગરમાં ગત તા. ૨૪/૧૧/૨૦૨૪ ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા સ્નેહ મિલન અને યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આમંત્રિત મુખ્ય અતિથિ ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા,તેમજ કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું, ત્યારપછી ઉપસ્થિત આગેવાનો, પ્રમુખ, તેમજ આવેલ અતિથિ વિશેષનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા દ્વારા યોગને લઈ થોડી ચર્ચા કરવામાં આવી હતી, તેમણે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, યોગ ક્યારે કરવા...?, કયા પ્રકારના યોગ કરવાથી ફાયદો થાય છે...?, યોગના કેટલા, કેવા અને ક્યાં-ક્યાં ફાયદા છે...? તેવી યોગ વિષે ચર્ચા કરી હતી તેમજ ગવર્નર ઓફ લાઈન્સ ક્લબ ગર્ગ, પ્રેસિડેન્ટ ઓફ લાઈન્સ ક્લબ હેમેશભાઈ વસા, આઇએનઓ પ્રેસિડેન્ટ અમરજીત સિંહ, એસ.બી. શર્મા સ્કૂલના ચેરમેન પ્રતીક શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે ઝોન કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ, જિલ્લા કો-ઓર્ડીનેટર હર્ષિદાબેન ભદ્રા, સોશ્યલ મીડિયા ઝોન કો-ઓર્ડીનેટર શૈલેષભાઇ ટાંક, સોશ્યલ મીડિયા જિલ્લા કો-ઓર્ડીનેટર દક્ષાબેન તેરૈયા, યોગ કોચ સોનલબેન કનખરા, મીત કનખરા, સોનલબેન ચૌહાણ, અર્ચનાબેન સિંઘ, દીપ્તિબેન પંડ્યા, સોનલબેન માકડીયા, કપિલાબેન રાઠોડ અને યોગ બોર્ડના ટ્રેનરો અને યોગ સાધકો સહિત ૫૫૦ થી ૬૦૦ લોકો પરિવાર સહિત ઉપસ્થિત રહ્યા હતાં તેમ સોશ્યલ મીડિયા કન્વીનર ગૌરવ જેઠવા અને સોનલબેન ચૌહાણની સંયુક્ત યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech