ઘણા દિવસોથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ખરીદી-થવાનો ઇતેજાર કરી રહ્યા હતાં : વિરોધ પણ ઉઠયો હતો, આવેદનપત્ર આપવામાં આવ્યા હતાં
ગુજરાત સરકાર દ્વરારા રાજ્યના ખેડૂતો તેમના મગફળીના ઉત્પાદનના વેંચાણમાં પરેશાની ન થાય તે માટે રાજ્યમાં અનેક સ્થળે તા. 11/11/ર0ર4 થી જ ટેકાના ભાવે શરૂ કરવામાં આવી હતી, પરંતુ નવાઇની વાત એ છે કે અગાઉ અનેક વખત ખંભાળીયા માર્કેટીંગ યાર્ડ કે જ્યાં મોટી સંખ્યામાં વેચાણ કરવા માટે ખેડૂતો આવે છે, ત્યાં આ વખતે ટેકાના ભાવે મગફળીની ખરીદી હજુ સુધી શરૂ ન થતાં ખેડૂતો નિરાશ થયા હતા, આખરે આજરોજ સવારથી જ ખંભાળીયા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું શ થયું છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં આ વર્ષે ચોમાસામાં 96 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે તથા માવઠાનો વરસાદ પડતાં ખેડૂતોના પાકને પણ ખુબ નુકશાન થયું છે, ત્યારે ટેકાના ભાવે ખરીદી ન થતાં બજારમાં ખેડૂતોને ખુલ્લા ભાવ ઓછા મળે છે, જો ટેકાના ભાવે ખરીદી ચાલુ હોય તો ખેડૂતોને વેંચાણમાં વિકલ્પ મળતો હોય, તો પણ ભાવ પણ ઉંચા રહે છે, આ વખતે અન્ય શહેરોમાં રાજ્યમાં ટેકાના ભાવેની ખરીદીને 10 દિવસ પછી પણ જિલ્લાના વડા મથકમાં ખરીદી શરૂ થઇ ન હતી. તે પણ મોટો પ્રશ્ર્ન ગણાય છે. અનેક સ્થળે ગત 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી, પણ ખંભાળીયામાં શ થઇ ન હતી, અમુક કારણોસર ખરીદી અટકી હતી.
આજરોજ ખંભાળીયા માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શ થઇ ગઇ છે, સવારથી આજુબાજુના ગામડાઓમાં ખેડૂતો યાર્ડ ખાતે પહોંચી ગયા હતા. લગભગ 3પ થી પ0 જેટલા ખેડૂતો યાર્ડ ખાતે મગફળી વેચવા આવ્યા હતા. બધા ખેડૂતો મગફળી યાર્ડ ખાતે વેંચાણ થઇ ગઇ હતી. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, ખેડૂતોએ મીઠાઇ ખવડાવી મીઠા મોઢા કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech