માવઠાની આગાહીને પગલે રાજકોટ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઇ

  • May 27, 2023 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માવઠાની આગાહીને પગલે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવકો આજથી બંધ કરાઇ છે તેમજ ખેડૂતોને માલ ઢાંકીને લાવવા અને વેપારીઓને દુકાન બહાર ખુલ્લામાં માલ નહીં રાખવા સહિતની તકેદારીની સૂચનાઓ જારી કરવામાં આવી છે.
​​​​​​​
વિશેષમાં ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી સેક્રેટરી બી.આર.તેજાણી દ્વારા માવઠાની આગાહીને પગલે વિવિધ સૂચનાઓ જારી કરાઇ છે જેમાં આજથી બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી મગફળીની આવક સંપૂર્ણપણે બંધ રહેશે.જ્યાં સુધી પ્લેટફોર્મમાં જગ્યા હશે ત્યાં સુધી માલ ઉતારવા દેવામાં આવશે ત્યાર બાદ કમીશન એજન્ટની દુકાને ઉતારવાનો રહેશે.
વાતાવરણને ધ્યાને લઇ માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે તેમજ કમિશન એજન્ટો-વેપારીઓએ ઉતારેલ માલને વાતાવરણને ધ્યાને લઇ ઢાંકવાની વ્યવસ્થા કરવાની રહેશે. હરરાજીનું કામકાજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઇ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application