વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર ગેરંટી આપી રહી છે એ જ રીતે પોરબંદરના મતદારોએ પણ ભાજપ સરકારને અને પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયાને રૂબરૂમાં એવી ગેરંટી આપી દીધી છે કે, અમે આપને પોરબંદર લોકસભા સીટ ઉપર પાંચ લાખ એકાવન હજાર કરતા પણ વધુ મતે ચુંટીને લોકસભામાં મોકલશુ અને આપ ફરી કેન્દ્રિય મંત્રી બનીને પોરબંદરને લાભ અપાવશો.
એરપોર્ટ ખાતે આવકાર
પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા મહાશીવરાત્રીના રોજ પોરબંદર આવ્યા ત્યારે એરપોર્ટ ખાતે તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જયેશભાઇ રાદડીયા સહીત શહેર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ પટેલ, પંકજભાઇ મજીઠીયા, નગરપાલીકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મહામંત્રીઓ અશોકભાઇ મોઢા, ખીમજીભાઇ મોતીવરસ સહીત ટીમ ભાજપે તેમને આવકાર આપ્યો હતો.
વિશાળ કાર–બાઇક રેલી યોજાઇ
એરપોર્ટ ખાતેની કિર્તિમંદીર સુધીની વિશાળ કાર અને બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં રસ્તામાં ઠેર ઠેર મનસુખભાઇ માંડવીયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જુદા–જુદા સમાજના લોકો પોરબંદરની સામાજીક સંસ્થા, વેપારી સંસ્થાના અગ્રણીઓએ મનસુખભાઇ માંડવીયાનું અભિવાદન કરીને જીતની એડવાન્સમાં શુભેચ્છાઓ આપી દીધી હતી.
કિર્તીમંદિર અને સુદામા મંદિરની મુલાકાત
ગાંધીજન્મસ્થાન કિર્તિમંદિર અને સુદામા મંદિરની પણ મનસુખભાઇ માંડવીયાએ મુલાકાત લીધી હતી. પુજય બાપુને શીશ નમાવીને તેઓએ પોરબંદર લોકસભા સીટ ઉપર વિજયનો વિશ્ર્વાસ વ્યકત કર્યેા હતો ત્યારબાદ કૃષ્ણ સખા સુદામા મંદિરની પણ મુલાકાત લીધી હતી.
રાણાવાવ કુતીયાણા સહીત જુનાગઢ પંથકમાં સ્વાગત
પોરબંદરથી તેઓ બપોરે રાણાવાવ ખાતે ગયા હતા જયાં કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યુ હતુ ત્યારબાદ કુતિયાણા ખાતે બાલા હનુમાન મંદિરે દર્શન કર્યા હતા જયાં તેમને આવકારવામાં આવ્યા હતાં. અને જીતનો વિશ્ર્વાસ લોકો દ્રારા અપાયો હતો. પાજોદ, બાટવા,માણાવદર સ્વામિનારાયણ મંદિર દર્શન, માણેકવાડાના માલબાપા મંદિરે દર્શન કર્યા હતા.
સાંજના અને આવતીકાલના કાર્યક્રમો
કાર્યકર્તા સાથે મુલાકાત સાવજ ડેર ખાતે કર્યા બાદ, ખોખરડા, ૫:૩૦ સરદાર ચોક, મેંદરડા, સાંજે ૬ વાગ્યે ગાઠીલા ઉમાધામ મંદિર દર્શન, ૭:૩૦ ઉપલેટામાં સ્વાગત બાપુના બાવલા ચોક ખાતે, ૮:૩૦ ભુલકા ગરબી કુંભારવાડા, ધોરાજી ખાતે સ્વાગત, રાત્રે ૯:૧૫ ભોજન તથા જેતપુર ખાતે રાત્રિ રોકાણ કરશે. તો તા. ૯–૩–૨૦૨૪ના સવારે ૭:૩૦ વાગ્યે વીરપુર દર્શન, સવારે ૮ થી ૧૦ વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા, સવારે ૧૧ રમાનાથધામ મંદિર ગોંડલ ખાતે દર્શન, ૧૧:૩૦ ગોંડલ ખાતે રામજીમંદિર દર્શન, ૧૨ વાગ્યે દાસી જીવણ મંદિર દર્શન, ઘોઘાવદર(ગોંડલ), બપોરે ૧૨:૩૦વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાન ગોંડલ ખાતે સ્વાગત, બપોરે ૧ વાગ્યે ગોંડલ અક્ષર ડેરી (બી.એ.પી.એસ.) દર્શન અને ભોજન લેશે.આ કાર્યક્રમ માટેના પોરબંદર જિલ્લા ઇન્ચાર્જ અશોકભાઇ મોઢા અને પંકજભાઇ મજીઠીયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech