ધ્રોલના રાજપર ગામમાં લાઇબ્રેરીનું ભવ્ય ઉદ્ઘાટન

  • May 27, 2025 10:50 AM 

શિક્ષણ ક્ષેત્રે વધુ એક યશ કલગી:


જ્ઞાન અને પ્રેરણાનો નવો અધ્યાય રાજપર ગામમાં સમસ્ત ગામજનો અને દીપસિંહજી રાજપૂત  છાત્રાલય ભૂતપૂર્વ વિધાર્થી મંડળ ધ્રોલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો, કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ મુખ્ય અતિથિ તરીકે રઘુવીરસિંહ જાડેજા (નિવૃત ACF અને દીપસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિધાર્થી મંડળના ટ્રસ્ટી) ઉપસ્થિત રહ્યા હતા.



જ્યારે અતિથિ વિશેષ તરીકે, શ્રી રમજુભા જાડેજા (જાબીડા), દીપસિંહજી રાજપૂત છાત્રાલયના હોદેદારો શ્રી ઉદયપાલસિંહ જાડેજા (મેનેજિંગ ટ્રસ્ટી), શ્રી નિર્મળસિંહ જાડેજા(સેક્રેટરી) , શ્રી જ્યોતિસિંહ જાડેજા (ઉપપ્રમુખ) ઉપરાંત શ્રી ગિરિરાજસિંહ જાડેજા (ગઢડા), પ્રવિણસિંહ પી.જાડેજા (પ્રિન્સીપાલ), પોલુભા જાડેજા (પૂર્વ તાલુકા પંચાયત ધ્રોલ) તથા પત્રકાર ભગીરથસિંહ જાડેજા (ખંભાળિયા), રાજેન્દ્રસિંહ વાઘેલા (ટ્રસ્ટી ભૂચરમોરી સંસ્થા ધ્રોલ) વગેરે  ઉપસ્થિતિ નોંધાવી. ગામજનોની ઉત્સાહભરી હાજરીએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.



આ સમારંભની શરૂઆત ફૂલહારથી અતિથિઓના હાર્દિક સન્માન સાથે થઈ હતી. રામજુભા જાડેજા એ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં યુવાપેઢીને પુસ્તકોની દુનિયામાં ડૂબકી લગાવવા અને જ્ઞાનના અથાગ સાગરમાંથી મોતી શોધવા પ્રોત્સાહિત કર્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજાએ લાઇબ્રેરીના મહત્વને રેખાંકિત કરતાં કહ્યું હતું કે, “લાઇબ્રેરી એ માત્ર પુસ્તકોનું ઘર નથી, પરંતુ સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જતો પુલ છે. આપણે યુવાઓને પુસ્તકોનો સાથ આપી, તેમના સપનાઓને પાંખો આપવી જોઈએ.”



આ તકે પ્રવિણસિંહ જાડેજાએ યુવાઓને મોબાઇલ અને સોશિયલ મીડિયાના વ્યસનથી દૂર રહી, પુસ્તકોને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “પુસ્તકો એવા મિત્રો છે, જે હંમેશા નવું શીખવે છે.” ગિરિરાજસિંહએ અન્ય ગામોમાં વધુમાં વધુ લાઇબ્રેરી શરૂ કરી સમાજ ને નવી દિશા આપવાનું જણાવ્યું હતું, જેનાથી હાજર સૌમાં નવો ઉત્સાહ જાગ્યો હતો.



આ કાર્યક્રમના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ પોતાના પ્રભાવશાળી વક્તવ્યમાં જણાવ્યું હતું કે, “આ લાઇબ્રેરી યુવાઓ માટે માત્ર જ્ઞાનનું મંદિર નથી, પરંતુ એક એવું પ્લેટફોર્મ છે, જે તેમને રાજ્ય સરકારની નોકરીઓ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. પુસ્તકોના પાનાંમાંથી મળતું જ્ઞાન આપણને ઉમદા માર્ગે લઈ જશે.”



આ ઉદ્ઘાટન કાર્યક્રમના સમારંભે રાજપર ગામના યુવાઓ અને સમાજમાં જ્ઞાન, પ્રેરણા અને સ્વપ્નોનો નવો સૂરજ ઉગ્યો હતો. આ લાઇબ્રેરીને માત્ર ગામના યુવાઓને શિક્ષણ અને સફળતાના શિખરો સર કરવામાં મદદ કરશે, પરંતુ સમગ્ર સમાજને એક નવી દિશા અને દૃષ્ટિ આપશે. ગ્રામજનોની ઉત્સાહભરી હાજરીએ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમના અંતમાં રઘુવીરસિંહ જાડેજા દ્વારા દીપસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિધાર્થી મંડળ ધ્રોલને રૂપિયા 30,000/- ની ભેટ આપી કાર્યક્રમની કલગીમાં પીછું ઉમેરી સમાજસેવાનું  ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.


આ કાર્યક્રમના અંતે દીપસિંહજી રાજપૂત છાત્રાલય ભૂતપૂર્વ વિધાર્થી મંડળ ધ્રોલના મેનેજિંગ ટ્રસ્ટી ઉદયપાલસિંહ જાડેજાએ સૌ ગ્રામજનો તથા ખાસ કરીને રઘુવીરસિંહ જાડેજાનો સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application