શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

  • September 02, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઘ્વજારોહણ, ગુરુજી પાદુકા પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા: ધર્મધુરંધરો અને તમામ ક્ષેત્રના મહાનુભાવોનો જમાવડો

દ્વારકાના શારદાપીઠમાં શુક્રવારે શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના ૬૫માં જન્મોત્સવની ભકિતભાવપૂર્ણ રીતે ઊજવણી કરાઇ હતી. જયાં વહેલી સવારથી જ મહાનુભાવો તથા દેશભરમાંથી આવેલ ભકતગણની ચહલ પહલ જોવા મળી હતી. જગતમંદિરે ધ્વજારોહણ કરાયુ હતુ. શંકરાચાર્ય સદાનંદજી મહારાજ શુક્રવારે વહેલી સવારે દ્વારકાધીશ જગતમંદિરમાં મંગલા આરતીમાં ઉપસ્થિત રહ્યા બાદ ભગવાન ચંદ્રમોલિબ્વરનું પૂજન અર્ચન સહ અભિષેક કર્યો હતો. જે બાદમાં શંકરાચાર્ય મહરાજના ચરણોમાં ભાવિકોએ કુલમાલા અર્પણ કરી અહોભાવ વ્યકત કર્યો હતો.
ગઇકાલે સવારે ૧૧.૦૦ વાગ્યે શંકરાચાર્યજી શારદાપીઠમાં સુવર્ણ સિંહાસન ગુરૂગાદી પર બિરાજમાન થયા હતા. જ્યાં આચાર્ય અશ્વિનભાઈ પુરોહિતની આગેવાનીમાં બ્રાહમણો દ્વારા શાસ્ત્રોકત અને વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે ગુરૂજીની પાદુકાનું પૂજન કરાયું હતું. બાદમાં શંકરાચાર્યજીના સાનિધ્યમાં યજમાન પરિવારે દ્વારકાધીશની ધ્વજાજીનું પૂજન કરાયું હતું.આ પ્રસંગે શારદાપીઠને વિવિધ ફુલોના શણગાર તથા લાઈટીંગ ડેકોરેશનથી સુશોભિત કરાયું છે. શારદાપીઠના સ્વયંસેવકો દ્વારા ભાવિકોમાં ધાર્મિક પુસ્તકોનું વિતરણ કરાયું હતું. જયારે બ્રહ્મપુરી ખાતે ભોજન મહા પ્રસાદનું પણ આયોજન કરાયું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શારદાપીઠના પ્રતિનિધિ અને ચાતુર્માસ સમિતિના અધ્યક્ષ નારાયણાનંદ બ્રહમચારીજી, સમિતિના સદસ્યો અશ્ર્વિનભાઈ પુરોહિત, વત્સલભાઈ પુરોહિત, રવિ બારાઈ, વિજયભાઈ ભાયાણી વિગેરેએ કર્યુ હતું.
કૅબિનેટ મંત્રી મુળૂભાઈ બેરા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, જામનગરના ઉદ્યોગપતિ અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ તેમજ રાજ્કીય-ધાર્મિક આગેવાનોએ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહેલ, આગેવાનો ભીખુભાઈ વારોતરીયા, મુળુભાઈ કંડોરીયા, પ્રદેશના પ્રતિનિધિ મનીષ દોશી, પાલભાઈ આંબલીયા વિગેરે શંકરાચાર્યજીના જન્મોત્સવમાં ઉપસ્થિત રહી સદાનંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા.જયારે રાજ્યસભાના પ્રતિનિધિ સ્વરુપે સાંસદ બાબુભાઈ દેસાઈએ પણ આશીર્વાદ મેળવી માલ્યાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત દેવભૂમિ સહિત હાલારના વિવિધ ક્ષેત્રોના આગેવાનોએ પણ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application