56 પ્રકારની વાનગીથી શણગારાયો દ્વારકાધીશનો થાળ, મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા દર્શન, ઘરેબેઠા તમે પણ કરો દર્શન

  • April 14, 2025 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

56 પ્રકારની વાનગીથી શણગારાયો ભગવાન શ્રીકૃષ્ણનો થાળ, ભક્તોએ કર્યા દર્શન


દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન કાળિયા ઠાકરના ભવ્ય છપ્પનભોગ મનોરથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું. પુષ્ટિમાર્ગની પરંપરામાં આ ઉત્સવનું વિશેષ મહત્વ છે.


વારાદાર પૂજારી દેવ ઠાકરના જણાવ્યા મુજબ, ભગવાન દ્વારકાધીશને છપ્પન પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવી. આમાં થાબડી, સાટ્ટા, વેશનના લાડવા, ગુલાબજાંબુ અને જલેબી જેવી મીઠાઈઓ સામેલ હતી.


મૈસૂબ, રબડી અને મોહનથાળ જેવી વાનગીઓ પણ અર્પણ કરવામાં આવી.ભોગમાં ફરસાણ, પુરી-શાક, ભાત-કઢી અને ઢોકળા જેવી વાનગીઓ પણ સામેલ હતી. લાપસી, અમૃત પાક અને મગજીયા સહિત ગ્રીષ્મકાળને અનુરૂપ વિવિધ વ્યંજનો પણ ભગવાનને ધરાવવામાં આવ્યા.


છપ્પનભોગના દર્શન માત્રથી ભક્તો આનંદવિભોર બની ગયા. આ પ્રસંગે મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. શ્રી દ્વારકાધીશના દર્શનથી ભક્તોને શાંતિની અનુભૂતિ થઈ. આ ઉત્સવ ભક્તોની શ્રદ્ધા અને પ્રેમનું પ્રતીક બની રહ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application