સરકારે 156 દવાઓ પર મૂક્યો પ્રતિબંધ, તમે તેનો ઉપયોગ તો નથી કરી રહ્યા ને?  પેઇન કિલર જેવી દવાઓ પણ સામેલ

  • August 23, 2024 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારે 156 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સામાન્ય રીતે ઘરોમાં જોવા મળતી કોકટેલ દવાઓ છે. આમાં વાળના વિકાસ માટેની દવાઓ, સ્કિનકેર અને પેઇનકિલર્સ તેમજ મલ્ટીવિટામિન્સ અને કેટલીક અન્ય દવાઓનો સમાવેશ થાય છે. આને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (FDCs) અથવા કોકટેલ દવાઓ કહેવામાં આવે છે. કારણકે એક ગોળીમાં બે કે તેથી વધુ દવાઓ જોડવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું છે કે આવી દવાઓ મનુષ્ય માટે ખતરો બની શકે છે. તે એમ કહે છે કે તેના સલામત વિકલ્પો પણ છે. જો કે  દવા ઉત્પાદકોએ હજુ સુધી જાહેર કર્યું નથી કે આ પ્રતિબંધની આર્થિક અસર શું થશે પરંતુ સિપ્લા, ટોરેન્ટ, સન ફાર્મા, આઈપીસીએ લેબ્સ અને લ્યુપિન જેવી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ કહ્યું છે કે તેમના ઉત્પાદનો પર પ્રતિબંધની અસર થઈ છે.


નોટિફિકેશન અનુસાર, કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલી નિષ્ણાતોની સમિતિએ આ દવાઓને અયોગ્ય ગણાવી છે. આ ઉપરાંત ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ જેવી ટોચની પેનલોએ પણ આ દવાઓના સંયોજનોની તપાસ કરી છે. તે જણાવે છે કે દવાઓના સંયોજન માટે કોઈ તબીબી સમર્થન નથી. તેથી જાહેર હિતમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ 1940ની કલમ 26A હેઠળ આ FDC ના ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે. દર્દીઓને આ દવાઓના ઉપયોગ અને વેચાણ પર પણ પ્રતિબંધ છે. જો કે ઉદ્યોગ હજુ પણ પ્રતિબંધની અસરનું વિશ્લેષણ કરી રહ્યું છે પરંતુ પ્રતિબંધની યાદીમાં સામેલ કેટલાક ઉત્પાદનો પહેલાથી જ બંધ કરી દેવામાં આવ્યા છે. બંધ કરાયેલી દવાઓમાંની એક એન્ટિબાયોટિક એઝિથ્રોમાસીન એડાપેલિન સાથેનું મિશ્રણ છે, જેનો ઉપયોગ ખીલની સારવાર માટે થાય છે.


આ દવાઓ પર પ્રતિબંધ

- Aceclofenac 50mg+Paracetamol 125mg ગોળીઓ પ્રતિબંધિત છે. તે ટોચની ફાર્મા કંપનીઓ દ્વારા ઉત્પાદિત રાહત આપતી દવાઓના લોકપ્રિય સંયોજનોમાંનું એક છે.

-પેરાસીટામોલ + પેન્ટાઝોસીનનું મિશ્રણ પણ પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ પીડામાંથી રાહત મેળવવા  માટે થાય છે.

- Levocetirizine + Phenylephrine ના સંયોજન પર પણ પ્રતિબંધ છે. તેનો ઉપયોગ શરદી, છીંક અથવા ઋતુ બદલવાને લીધે તાવની સમસ્યા અથવા એલર્જી-સંબંધિત લક્ષણોની સારવાર માટે થાય છે.

-આ સિવાય લેવોસેટીરિઝિન સંબંધિત અન્ય ઘણા સંયોજનો છે. તે એક એન્ટિહિસ્ટેમાઈન છે જે શરીરમાં ઉત્પાદિત હિસ્ટામાઈનની અસરોને અવરોધે છે.
​​​​​​​

-મેગ્નેશિયમ ક્લોરાઇડ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેનો ઉપયોગ પોષણની ઉણપની સારવારમાં થાય છે.

-પેરાસીટામોલ, ટ્રામાડોલ, ટૌરીન અને કેફીનના મિશ્રણ પર પણ પ્રતિબંધ છે. આમાં ટ્રામાડોલ એ ઓપીયોઇડ આધારિત પેઇનકિલર છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application