રાજય સહિત દેશભરમાં ધાર્મિક દબાણના મામલે સુપ્રીમ કોર્ટ–હાઇકોર્ટ અને સરકાર દ્રારા વખતો વખત ટકોર કરવા છતાં એ કયા બીજા કારણોસર દબાણ સામે કાર્યવાહી થતી નથી છેલ્લા બે મહિનાથી રાજયભરમાં ધાર્મિક દબાણનો મુદ્દો સામે આવ્યો છે જાહેર જગ્યા ઉપર ધાર્મિક દબાણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓ મોટો પિટિશન થયેલી છે સુપ્રીમ કોર્ટમાં પણ ધાર્મિક દબાણને લઈને સ્પેશ્યલી પિટિશન થયેલી છે. તેના ભાગરૂપે ધર્મસ્થાનો લોકોની ધાર્મિક લાગણી અને આસ્થા સાથે સીધા જોડાયેલા હોવાથી એકદમ તોડી પાડવા શકય નથી આથી આ મામલે કુનેહ અને સમજાવટથી ઉકેલ લાવવા તત્રં મથામણ કરી રહ્યું છે તમામ જિલ્લ કલેકટર અને પ્રાંત અધિકારીઓને તેમના વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનોના વડા ધર્મગુરૂઓની યાદી તૈયાર કરવા જમીનના માલિકી હકક અંગે યાદી તૈયાર કરવા મહાનગરપાલિકા નગરપાલિકા વિસ્તારમાં આદેશ કરાયા છે.
રાજયમા વિવિધ હેતુના દબાણોથી મુકત રહ્યું નથી. ત્યારે આ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં થયેલી સ્પેશ્યલ લીવ પીટીશનના પગલે સરકારી તત્રં ધૂણવા લાગ્યા છે. પરિણામ સ્વપ નગરના તમામ સેકટરોમાં થયેલા ધાર્મિક દબાણોની રજેરજની માહિતી આપવા આદેશ કરાયો છે. સ્થાનકના ધાર્મિક વડાના નામ, સરનામા અને નંબર લેવા ઉપરાંત તેમને દબાણ અંગે સમજ આપીને જરી કાર્યવાહી કરવાની તાકીદ કરાઇ છે.
દબાણકારો સામે આખં આડા કાન કરવાની નીતિના કારણે ગાંધીનગરના સેકટર વિસ્તારમાં પણ ધાર્મિક દબાણોનો રાફડો ફાટો છે. ત્યારે નોંધવું રહેશે, કે વર્ષ ૨૦૦૮માં પાટનગરમાં ૩૦૦ જેટલા દેરા, દેરી અને મોટા ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવાયા હતાં. હવે ફરીવાર તમામ સ્થાનિક તંત્રોને આ મુદ્દે કામે લગાડી દેવામાં આવ્યાં છે. રાયમાં એકમાત્ર ગાંધીનગરમાં જમીનની માલિકી માર્ગ અને મકાન વિભાગની હોવાથી પેટા વિભાગ જેવાં પાટનગર યોજના વિભાગને ધાર્ણિક દબાણના મુદ્દે પણ એકશન મોડમાં લાવી દેવાયું છે.
સુપ્રિમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી સ્પેશ્યલ લીવ પીટીશન વર્ષ ૨૦૦૬માં દાખલ કરાઇ હતી. હવે દોઢ દાયકા બાદ આ મુદ્દે તત્રં હરકતમાં આવ્યું છે. પીટીશનમાં તો રાય આખામાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર થયેલા અનધિકૃત ધાર્ણિક દબાણોની વાત કરવામાં આવી છે. જે સ્વાભાવિક રીતે જ પાટનગરને પણ લાગુ પડતી હોવાથી છેલ્લ ા બે–ત્રણ મહિનાથી સ્થાનિક તંત્રો કામે લાગ્યાં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech