રાજકોટમાં અગન કાંડમાં માસુમ ભૂલકા જીવતાં ભૂજાઇ ગયાં બાદ ચોમાસા સંબંધે પણ શિક્ષણ તંત્રને કામે લગાડીને શાળા અને હોસ્ટેલમાં ભયજનક મમાં બાળકોને નહીં બેસાડવા આદેશ અપાયો છે. સાથે જર્જરિત કે ભયજનક વર્ગખંડ, ટોઇલેટ બ્લોક, સેપ્ટિક ટેંક, ખાળકુવા, કે, મકાન ફરતે આડસ મુકીને પ્રવેશ નિષેધનું બોર્ડ લગાડવું ફરજીયાત કરાયુ છે. જિલ્લ ા શિક્ષણ તંત્રને આવી વ્યવસ્થા ગોઠવવા શાળા સંચાલકોને લેખિત જાણ કરવા જણાવાયું છે. સમગ્ર શિક્ષાની ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્રારા આ સંબંધે તમામ જિલ્લાના પ્રોજેકટ કો. ઓર્ડિનેટર, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શહેરી વિસ્તાર માટે શાશાનાધિકારીને કામે લગાડવામાં આવ્યાં છે. તેના અંતર્ગત રાજયની તમામ સરકારી શાળાઓ, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલયો, હોસ્ટેલ્સ અને શૈક્ષણિક મકાનોમાં કોઇ દુર્ઘટના ઘટે નહીં તેના માટે તકેદારી રાખવા અંગે સાવચેતીના આવશ્યક તમામ આગોતરા પગલા ભરવા જણાવવામાં આવ્યું છે. તેના માટે જિલ્લાના ઉપરોકત અધિકારીઓએ શૈક્ષણિક મકાનોમાં સ્કુલ સેટી સંબંધે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સંચાલકો અને આચાર્યેાને લેખિતમાં સુચના આપવાની રહે છે.
વિશેષમાં સ્પષ્ટ્ર જણાવાયું છે, કે શાળામાં જર્જરીત જાહેર કરેલા કે સામાન્ય દષ્ટ્રીએ ભયજનક લાગતા વર્ગખંડોમાં બાળકોને બેસાડવાના નથી. શાળા પરિસરમાં જર્જરિત કે ભયજનક વર્ગખંડ, ટોઇલેટ બ્લોક, સેપ્ટિક ટેંક, ખાળકુવા, કે, મકાન ફરતે આડસ મુકીને આ વિસ્તાર, જગ્યામાં કોઇપણ વ્યકિત પ્રવેશે નહીં તેના માટે પ્રવેશ નિષેધ લખેલુ બોર્ડ લગાડવું ફરજીયાત રહેશે. પાણીની મોટરના વાયર મીટરના વાયરના ખુલ્લા છેડા કે સાંધા ખુલા ન રહે તેમ ગોઠવવાના રહેશે
બાંધકામ ચાલુ હોય તો ચેતવણીના બોર્ડ મુકવા
શાળા કે શૈક્ષણિક સંકુલ સક્રિય હોય મતલબ કે શૈક્ષણિક કાર્ય ચાલતુ હોય તે દરમિયાન જો પરિસરમાં કયાંય પણ કોઇપણ પ્રકારનું બાંધકામ શ કરવાનું હોય અથવા ચાલી રહ્યુ હોય તો તે સ્થળ ફરતે આડસ કરવાની રહેશે. ત્યાંથી નહીં અટકતા તે બાજુએ બાળકો જાય જ નહીં તેવી વ્યવસ્થા પણ ગોઠવવાની રહેશે. બાંધકામનો સામાન કે કાટમાળ અડચણપ ન બને તેવી રીતે વ્યવસ્થિત રાખવાનો રહેશે. આ ઉપરાંત ત્યાં ચેતવણીના પાટિયા લગાડવાના રહેશે.
સ્કૂલ સેટી યોગ્ય હોવાનું સંચાલક અને આચાર્યનું ફોટા સાથે પ્રમાણપત્ર લેવાશે
હાલમાં શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે. પરંતુ જુન મહિનામાં શાળાઓ ખુલે તેના પહેલા ઉપરોકત કામગીરી કરવાની છે અને વેકેશન ખુલ્યા પહેલાં જ કોઇ જાનહાની ન થાય તેના માટે સ્કુલ સેટી યોગ્ય હોવા સંબંધે સંચાલક અને આચાર્યએ ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર તારીખ ૫મી જુન પહેલા સમગ્ર શિક્ષાની કચેરી પર પહોંચાડવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech