રાજયભરના સરકારી તબીબો તા.૭ એપ્રિલે માસ સીએલ પર ઉતરી જશે

  • March 17, 2025 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોતાના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં અવારનવાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અને સરકારે અનેક વખત આપેલી લેખિત ખાતરીનો પણ અમલ નહીં થતાં આખરે ગુજરાત ઈન સર્વિસ ડોકટર એસોસિએશન દ્રારા આગામી તારીખ ૭ એપ્રિલના રોજ રાયવ્યાપી માસ સીએલના કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે.
આંદોલનની જાહેરાત કરતા પહેલા ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોસિએશન અને ગુજરાત મેડિકલ સર્વિસ વર્ગ બે ના તમામ જિલ્લાના કારોબારી સભ્યોની એક વચ્ર્યુઅલ મીટીંગ તારીખ ૧૨ માર્ચના રોજ મળી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો છે.
એસોસિએશને લાંબા સમયથી મેડિકલ ઓફિસરોના પેન્ડિંગ સિન્યોરીટી લિસ્ટ તાત્કાલિક બહાર પાડવા, લાંબા સમયથી વિલંબમાં પડેલા સેવા સળગં અંગેના હત્પકમ તાત્કાલિક બહાર પાડવા, ડોકટરો માટે નિવૃત્તિની વય મર્યાદા ૫૮ વર્ષ કે ૬૨ વર્ષ તે મુજબ વૈકલ્પિક રાખવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીઓનો સમય સવારના ૮:૩૦ વાગ્યાથી સાંજના ૬ –૧૦ કલાકનો છે. તેના કારણે આઠ કલાકથી વધુ નોકરી થઈ જાય છે. તે બાબતે યોગ્ય કરવા, કોવીડના સમય દરમિયાન પોતાના જીવના જોખમે કામગીરી કરેલ ડોકટરને ૧૩૦ દિવસનો પગાર આપવા, મેડિકલ ઓફિસર વર્ગ–૨ ની ખાલી જગ્યા ભરવા માટે દર વર્ષે નિયમિત રીતે જીપીએસસી ની પરીક્ષા લેવાય તેવું આયોજન કરવા સહિતની ૧૮ માગણીઓનું આવેદનપત્ર સરકારને પાઠવ્યું છે.
તબીબોના જણાવ્યા મુજબ અમે આ મામલે ૨૬ નવેમ્બર ૨૦૨૪ ના રોજ અને ત્યાર પછી ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ ના રજૂઆત કરી છે. સરકારે અનેક પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી પણ આપી છે. પરંતુ અમલવારી ન થતી હોવાથી મારે નાછૂટકે હવે આંદોલન કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. તારીખ ૭ એપ્રિલની રાય વ્યાપી સામૂહિક રજાની લડત પછી પણ જો નિરાકરણ નહીં આવે તો નાછૂટકે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application