રાજકોટમાં ચાલુ બસે મહિલાના પર્સમાંથી ૩૬ તોલા સોનાની ચોરી

  • February 13, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોધીકાના બાલસર ગામે રહેતા મહિલા આજીડેમ ચોકડીએથી ખારચીયા ગામ જવા માટે એસ.ટી બસમાં બેસતા અહીં અજાણી મહિલાએ ધક્કામૂકી કરી હતી. બાદમાં બસ થોડે દૂર જતા મહિલાએ પર્સ જોતા તેમાં સોનાના ઘરેણા જે ડબ્બામાં મૂકયા હતા તે ડબ્બો જોવા મળ્યો ન હતો. આ ડબ્બામાં મહિલાએ પ્રસંગમાં પહેરવા માટે ૩૬ તોલાના સોનાના દાગીના રાખ્યા હોય જેની ચોરી થઈ ગઈ હતી. જે અંગે મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં . ૧૭.૭૦ લાખના દાગીના ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચાલુ બસે પર્સમાંથી ૩૬ તોલા દાગીનાની ચોરી કરનાર અજાણી મહિલાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, લોધિકા તાલુકાના બાલસર ગામે રહેતા શીતલબેન દિનેશભાઈ મેત્રા (ઉ.વ ૩૨) નામના મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં બાલસર ગામે રહે છે તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે પતિ ખેતી કામ કરે છે.
ગઇ તા.૨ ૨ ના રોજ મહિલા તેની પુત્રી તથા કૌટુંબિક નણદં ત્રણેયને ખારચિયા ગામ માસીયાઇ ભાઇના લમાં જવાનું હોય જેથી તેમને પતિ સવારના નવ વાગ્યા આસપાસ હરીપરપાળ ગામના પાટીયે એમ.ટી.વી હોટલ પાસે મૂકી ગયા હતા. ત્યારબાદ અહીં તેમના બહેન પણ ઉભા આ પાંચેય રિક્ષામાં કે.કે.વી હોલ ગયા બાદ કે.કે.વી હોલથી અન્ય સંબંધીને સાથે લઈ તેઓ આજીડેમ ચોકડીએ પહોંચ્યા હતા. આજીડેમ ચોકડીએ પહોંચ્યા બાદ અહીંથી ખારચીયા જવા માટે મહિલા તથા તેમના પરિવારજનો સરકારી બસમાં ૧૦:૩૦ વાગ્યાની આસપાસ બેસવા જતા હતા. ત્યારે ટ્રાફિક હોય અજાણી મહિલાઓ તેમની પાસે આવી ધક્કામૂકી કરતી હતી. બાદમાં તેઓ બસમાં બેસી ગયા હતા. બસ થોડી દુર પહોંચ્યા બાદ તેમણે તેમની પાસે રહેલ લેડીઝ પર્સ જોતા પર્સની ચેન ખુલી હોય જેથી શંકા જતા પર ચેક કરતા તેમાં ઘરેણા ભરેલો ડબ્બો રાખ્યો હોય જે જોવા મળ્યો ન હતો. આ ડબ્બામાં મહિલાએ સોનાનો હાર ૧૪, તોલા સોનાના બે કંગન ૨, તોલા સોનાનો ચેન ૪ તોલા, એક લેડીઝ માળા ૫ તોલા, એક બુટ્ટી ૧ તોલા, એક વીંટી સહિત આશરે ૩૬ તોલાના દાગીના આ ડબ્બામાં મૂકયા હતાં જે ગીર્દીનો લાભ લઇ ધક્કામૂકી કરી કોઈ પર્સની ચેન ખોલી ચોરી કરી ગયુ હોવાનું માલુમ પડું હતું. જેથી તેમણે આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ચાલુ બસે તેમના પર્સમાંથી ઘરેણા ભરેલો આ ડબ્બો જેમાં પિયા ૧૭.૭૦ લાખના સોનાના ઘરેણા હોય તે કોઈ ચોરી કરી ગયા અંગે ફરિયાદ નોંધાવી છે. બનાવને લઈ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરી હેઠળ ટીમે ચોરીના આ બનાવવાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શ કર્યેા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application