સુરેન્દ્રનગરની વતની અને જામનગર પરણાવેલી યુવતીને સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યાની ફરિયાદ
જામનગર તા ૨૪, સુરેન્દ્રનગર ની વતની અને હાલ જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં પરણાવેલી એક યુવતીને તેણીના સાસરીયાઓ એ ત્રાસ ગુજારી ઘરમાંથી કાઢી મુકતાં મહિલા પોલીસ મથકમાં સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ સુરેન્દ્રનગરની વતની અને હાલ જામનગરમાં ગુલાબનગર સિંધી કોલોની માં રહેતી આરતીબેન મનોજભાઈ વાઘેલા નામની ૩૪ વર્ષની વાલ્મીકિ પરણીતા, કે જેને સાસરિયાઓએ ત્રાસ ગુજારી હાંકી કાઢી હતી.
જેથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જ્યાં આરતી બેને પોતાના પતિ મનોજ લલીતભાઈ વાઘેલા, સાસુ ગૌરીબેન લલિતભાઈ વાઘેલા, નાણંદ મનીષાબેન વિજયભાઈ સરધારા, તેમજ પોતાના પતિના આગલા ઘરના દીકરા વિવેક અને આગલા ઘરની પુત્રી દિપુબેન ઉમેદભાઈ અમે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech