ગાયત્રી પરિવાર દ્વારા ધોરણ-૧૦/૧૨ ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે શુભકામના યજ્ઞ

  • February 10, 2025 10:19 AM 

જામનગર શહેરમાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ૧૨માં ધોરણની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ કરેલી મહેનત સાર્થક બને, તેવા શુભભાવથી ગઈકાલે તા. ૯.૨.૨૦૨૫ ને રવિવારે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં ૧૫ કૂંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન સવારે ૮.૦૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું હતું. નિ:શુલ્ક સંપન્ન થયેલા આ યજ્ઞમાં જોડાનારા તમામ વિદ્યાર્થીઓનું અક્ષત -કુમકુમથી સ્વાગત કરી, શુભેચ્છા સ્વરૂપે પેન-પુસ્તક અર્પણ કરી, મીઠું મોઠું કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના હસ્તે યજ્ઞમાં ગાયત્રી, સરસ્વતી, ગણેશજી, ગુરુજી, સૂર્યનારાયણ તેમજ મહામૃત્યુંજય મંત્રની આહુતિ અપાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application