આઈપીએલની ફાઇનલ મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ગેસનો બાટલો ફાટ્યો

  • June 03, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આઈપીએલ ની ફાઇનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર મોટી દુર્ઘટના બની છે. આજે અમદાવાદમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ 2025ની ફાઈનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે.

હાલ મળતી માહિતી પ્રમાણે ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા વ્યક્તિના સ્ટોલમાં આ દુર્ઘટના ઘટી હોવાનુ સામે આવ્યું છે. અહી સૌથી મોટી રાહતની વાત એ છે કે, સવારના સમયે દુર્ઘટના થઈ હોવાની મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે, આજે દેશ-વિદેશથી લોકો સ્ટેડિયમમાં મેચ જોવા માટે આવવાના છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1 લાખથી વધુ લોકો મેચ જોવા ઉમટશે. સ્ટેડિયમ ફરતે પાંચ સ્તરની સુરક્ષા ગોઠવવામાં આવી છે, તેમજ 12 સ્થળો પર પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂરની થીમ પર સ્ટેડિયમમાં લાઇટ શો યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application