દેશભક્તિના રંગે રંગાયું ગારીયાધાર અને તળાજા એસ.ટી.બસ સ્ટેન્ડ

  • August 14, 2024 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના આહવાન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતભરમાં ’હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યું છે. દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તેમજ એકતા- અખંડિતતાનાં મૂલ્યો સુદ્રઢ થાય તે માટે જાહેરસ્થળો પર તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે.
ભાવનગરના ગારીયાધાર અને તળાજા એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે પણ તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. તદુપરાંત બસમાં મુસાફરી કરનાર નાગરિકોને પણ તિરંગાનું વિતરણ કરીને તેમને આ અભિયાનમાં જોડવામાં આવ્યા હતા.
આમ, એસ.ટી. સ્ટેન્ડ ખાતેથી નાગરિકોને અવિરતપણે હર ઘર તિરંગા અભિયાનનો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જેથી મુસાફરોમાં મુસાફરીની સાથે દેશભક્તિની ગૂંજ સાંભળવા મળી રહી છે. આ અભિયાનમાં એસ.ટી. સ્ટેન્ડ ના ડ્રાઈવર, ક્ધડક્ટર સહિત સ્ટાફ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application