વધુ એક બાઈક અને મોબાઈલ ફોન ચોરાયાની પોલીસ ફરિયાદ
જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી અને મોબાઈલ ફોન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને શહેરમાંથી એક મોટરસાયકલ તથા એક મોબાઇલ ફોન ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા પોપટભાઈ સોમાભાઈ પરમાર નામના ૫૧ વર્ષના આધેડે જામનગરમાં આર્યસમાજ રોડ પર એક દુકાન ની બાજુ ની ગલીમાં પાર્ક કરેલું પોતાનું મોટર સાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગરમાં ખોડ મિલના ઢાળીયા પાસે રહેતા અને કંડકટર તરીકે નોકરી કરતા યુવરાજસિંહ નારુભા જાડેજા નામના ૩૬ વર્ષના યુવાને દીગજામ સર્કલ બ્રિજ પાસેથી પોતાનો રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech