પૂ. કાલિન્દ્રી વહુજી પધારી વૈષ્ણવોને આશિર્વચન પાઠવશે : તડામાર તૈયારી ચાલુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગુરગઢ બન્ને ગામની વચ્ચે આવેલ વૈષ્ણવ સંપ્રદાયની ગુસાઇજીની ૨૬મી બેઠક ખાતે વર્ષની પરંપરાની અને નાગજીભાઇ ભટ્ટના ભાવનો આંબા કેરીનો મનોરથ આખા વિશ્ર્વમાં આ એક જ બેઠકજી ખાતે દર વર્ષના જેઠ સુદ છઠ્ઠના દિવસે યોજવામાં આવે છે.
જેમાં સૌરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી દર વર્ષે ચારેક હજારથી વધુ વૈષ્ણવો આ આંબા કેરી મનોરથનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧-૯-૨૦૨૫ને જેઠ સુદ છઠ્ઠના દિવસે ગાગા ગુરગઢ ગુસાઇજીની બેઠક ખાતે આંબા કેરીનો મનોરથ સમસ્ત વૈષ્ણવો દ્વારા ઉજવવામાં આવશે. અને આ મનોરથમાં પ.પૂ. ગો.૧૦૮ શ્રી કાલિન્દ્રી વહુજી શ્રી નટવર ગોપાલજી મહારાજશ્રી (દ્વારકા બરડીયા, વેરાવળ, વડનગર, કંપાલા) વાળા પધારશે અને વૈષ્ણવોને આશિર્વચન બ્રહ્મસબંધ સહિતનો લાભ આપશે.
મનોરથમાં રાસ મંડળી, પ્રસાદી, જારીજી, ચરણસ્પર્શ, બ્રહ્મસંબંધ, વચનામૃત સહિતનો વૈષ્ણવોને લાભ મળી રહે તે માટેની હાલ વૈષ્ણવો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગેની વધુ માહિતી માટે બેઠકજીના મુખ્યાજી કાનુભાઇ શર્મા ૯૫૩૭૮ ૪૦૫૦૦, દામોદરભાઇ દાવડા ૯૪૨૬૨ ૩૩૪૧૧, નટુભાઇ દતાણી ૯૪૨૬૪ ૩૩૩૩૮ નિલેશભાઇ કાનાણી ૯૪૨૬૨ ૬૦૧૭૧, મેહુલભાઇ સામાણી ૯૪૨૭૨ ૯૫૨૯૧, જગુભાઇ ગોકાણી ૯૪૨૬૪ ૪૨૦૨૬ પર સંપર્ક સાધવા વિનંતિ છે.
વૈષણવોને ગાગા ગુરગઢ બેઠકજી પહોંચવા જવા આવવા માટે ભાટીયા માધવજીભાઇ પાંઉની દુકાન પાસેથી ટેમ્પોની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તો મોટી સંખ્યામાં વૈષ્ણવોએ તા.૧ જુનના આંબા કેરી મનોરથનો લાભ લેવા સમસ્ત વૈષ્ણવો આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.