આચારસંહિતા પહેલા જ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ લાગુ થશે

  • February 08, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેેેેેેેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ એક મોટું નિવેદન આપતાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા જ દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ શ કરી દેવાશે. એવું મનાય છે કે આગામી લોકસભા ચૂંટણી માટે આચારસંહિતા માર્ચના પ્રથમ સાહમાં લાગુ થઈ જશે.
રાયસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે સંસદને ખાતરી આપવા માંગીએ છીએ કે ટોલ સિસ્ટમ માટે વિશ્વની શ્રે ટેકનોલોજી સેટેલાઇટ આધારિત સિસ્ટમ ટૂંક સમયમાં રજૂ કરાશે. ટોલનાકા પણ હટાવી દેવામાં આવશે.
તેમણે જણાવ્યું કે હવેથી નવી જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ આવી જવાથી લોકોએ રોકવાની જર નહીં પડે અને નંબર પ્લેટના ફોટા પરથી ટોલ વસૂલ કરી લેવાશે. આ સિસ્ટમ હાઇવે અથવા એકસપ્રેસ વેનો કેટલા સમય માટે ઉપયોગ થયો તેના આધારે ટોલ વસૂલી કરશે. ટોલ ફી ડ્રાઈવરના બેંક ખાતામાંથી આપોઆપ કપાઈ જશે.
દરમિયાન, ફાસ્ટેગથી ટોલ ટેકસ વસૂલીનો ડેટા શેર કરતી વખતે ગડકરીએ કહ્યું કે અત્યાર સુધી ફાસ્ટેગથી ૪૯ હજાર કરોડ પિયાથી વધુનો ટોલ ટેકસ વસૂલવામાં આવ્યો છે. દૈનિક કલેકશન ૧૭૦ થી ૨૦૦ કરોડની વચ્ચે થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application