અગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી

  • April 28, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફ્રેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર પાંચ આરોપીઓએ કરેલી ડિસ્ચાર્જ અરજીમાં આજની સુનાવણીમાં બાકીના બે આરોપીઓના વકીલો નહીં આવતા આરોપીઓએ મુદત માગતા કોર્ટ દ્વારા હવે આગામી તારીખ 23મી મેના રોજ સુનાવણી રાખવામાં આવી છે.

આ અંગેની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગત તા.૧૯મી ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા, જયદીપ ચૌધરી, ગૌતમ દેવશંકર જોષી અને ચીફ ફાયર ઓફિસર ઠેબાએ કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરી હતી. જેમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીની ડિસ્ચાર્જ અરજી ઉપર બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે હુકમ ઓર્ડર ઉપર મોકૂફ રાખવામાં આવ્યો હતો. દરમિયાન ચીફ ફાયર ઓફિસર ભીખુ જીવાભાઈ ઠેબા અને એટીપીઓ ગૌતમ દેવશંકર જોષીની પણ ડિસ્ચાર્જ અરજી થતા અદાલતે નિર્ણય એક સાથે આપવાનું ઠરાવી આજે તારીખ 28મીએ બંને આરોપીની સુનાવણી રાખી હતી. દરમિયાન આજે 28મી અદાલતમાં આરોપીઓના વકીલો આવ્યા ન હતા અને તેમના દ્વારા મુદત માંગવામાં આવી હતી, તે અનુસંધાને બાકીના બે આરોપીની આગામી સુનાવણી તારીખ 23મી મેના રોજ રાખવા કોર્ટે આજે જણાવ્યું હતું. આ કેસમાં સ્પે. પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application