શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર

  • April 21, 2025 10:52 AM 

ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ-2025 અંતર્ગત કાર્યક્રમ યોજાયો



શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજી જન્મોત્સવ 2025 ની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.



પરશુરામ જન્મોત્સવ ઉજવણી અંતર્ગત આજરોજ સર્વ જ્ઞાતિના વિધાર્થીઓ તથા વાલીઓ માટે નિઃશુલ્ક એજ્યુકેશન સેમિનાર યોજાયો હતો. મોટીવેશન સ્પીકર અને સાયન્સ ટીચર એવા હાર્દિકભાઈ ત્રિવેદી દ્વારા વિધાર્થીઓને તથા વાલીઓને એજ્યુકેશન બાબત માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ વિધાર્થીઓને પોતાના ભણતરમાં મૂંઝવતા પ્રશ્ન અંગે નિરાકરણ આપી મોટીવેટ કરી ભવિષ્યમાં કઈ ફેકલ્ટીમાં જવું તે માહિતી આપી તેમજ AI નું ભવિષ્યમાં શું મહત્વ રહેશે તે બાબતે વિધાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.



આ એજ્યુકેશન સેમિનારને સફળ બનાવવા માટે સંસ્થાના કેતન ભટ્ટ, જયદિપ રાવલ, સિમિત રાવલ, કિરીટ ઠાકર, વિરલ ત્રિવેદી, રાજેશ ઠાકર, પ્રણવ રાવલ, રાજુ વ્યાસ, સમીર જોષી, કપિલ રાવલ, જામ્બાલી રાવલ, જેડીકાકા, દેવેન્દ્ર શુકલ,નિશા અસ્વાર, મનીષા ઠાકર, અર્ચના જોષી, મનીષા જોષી, હિના ઠાકર, ધરતી વ્યાસ, વાસંતીબેન ઠાકર, ચંદ્રાવલીબેન જોષી, ઉષાબેન જોષી , જાહ્નવી શુકલ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application