ખંભાળિયાના સલાયામાં રવિવારે બાળકો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પ

  • May 31, 2024 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો. ઠક્કર સેવાઓ આપશે


ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આગામી રવિવાર તારીખ 2 જૂનના રોજ બાળકો માટે વિના મૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સલાયામાં આવેલા હુસેની ચોક સ્થિત મદ્રેસા ખાતે રવિવારે સવારે 9:30 થી 1 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ બાળરોગ નિદાન કેમ્પમાં અહીંના જાણીતા તબીબ ડો. સુનિલ ઠક્કર તથા ડો. મિનલ ઠક્કર પોતાની સેવાઓ આપશે.


બાળકોને તથા નવજાત શિશુને વિવિધ બીમારીઓના નિદાન અંગે યોજવામાં આવેલા આ કેમ્પનો લાભ લેવા સલાયા તથા આસપાસના વિસ્તારના લોકોને સેવાભાવી ડો. સુનિલ ઠક્કર તથા ડો. મિનલ ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે.


ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ તથા વાળના રોગોના નિદાન, સારવાર કેમ્પનું આયોજન

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 2 ના રોજ અહીંના જલારામ મંદિર ખાતે સવારે 9:30 વાગ્યાથી શ્રીમતી ઉર્મિલાબેન મુકુંદરાય સામાણી વિગેરેના આર્થિક સહયોગથી ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે લાયન્સ ક્લબ તથા આયુષ્યમાન હોસ્પિટલ - રાજકોટના સંયુક્ત ઉપક્રમે વાળ અંગેના વિવિધ રોગના નિદાન તથા સારવાર માટેના કેમ્પનું પણ વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કેમ્પ તથા વાળના કેમ્પનો લાભ લેવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application