દિલ્હી સરકારની દા નીતિમાં મની લોન્ડરિંગ અને ભ્રષ્ટ્રાચારના કથિત કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ચોથી વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે અને ૧૮ જાન્યુઆરીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. જો કે, તે હજુ સુધી સ્પષ્ટ્ર નથી થયું કે તે ઇડી ઓફિસ જશે કે નહીં. ઇડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને એકસાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગુવારે હાજર થવા જણાવ્યું છે. જો કે, આ વખતે પણ તેના ઇડી સમક્ષ હાજર થવા પર શંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ ગુવારથી ગોવાની ત્રણ દિવસની મુલાકાતે છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે તે આ વખતે પણ ઇડી સમક્ષ હાજર થશે નહીં.
અરવિંદ કેજરીવાલે બુધવારે કહ્યું હતું કે તેઓ કાયદા અનુસાર જે પણ યોગ્ય હશે તે કરશે. જો કે આ પહેલા પણ કેજરીવાલ ત્રણ સમન્સ પર ઇડી સમક્ષ હાજર થયા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે ગયા અઠવાડિયે ચોથી વખત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા હતા અને તેમને ૧૮ જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. એવી શકયતા છે કે ચોથી વખત પણ તે સમન્સની અવગણના કરે અને ઇડીને પોતાનો લેખિત જવાબ મોકલે.બુધવારે એક કાર્યક્રમમાં પહોંચેલા કેજરીવાલે ઇડીના સમન્સ અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, 'અમે કાયદા હેઠળ જે જરી હશે તે કરીશું.'તેમણે સ્પષ્ટ્ર કયુ નથી કે તેઓ ઇડી સમક્ષ હાજર થશે કે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech