સિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો

  • May 02, 2025 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના જુની વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી પાન-મસાલાની દૂકાને સિગારેટ ખરીદવા માટે આવેલા એક કિશોરે દૂકાન પાસે જ સિગારેટ જલાવી દૂકાનમાં બેઠેલા વૃદ્ધની સામે ધૂમાડા કાઢવા લાગતા વૃદ્ધને સિગારેટના ધૂમાડાની એલર્જી હોય કિશોરને દૂકાનથી થોડે દૂર ધૂમાડા કાઢવાનું કહેતા ઉશ્કેરાયેલા કિશોરે વૃદ્ધ સાથે ગાળાગાળી કરવા લાગતા બાજુમાં ઉભેલા યુવાને કિશોરને સમજાવવાનો પ્રયત્ન કરતા યુવાન પર હૂમલો કર્યો હતો, જે દરમિયાન તેણે ફોન કરી અન્ય ત્રણને બોલાવી ઢીકાપાટુનો માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી, તે દરમિયાન બનાવની જાણ થતા વૃદ્ધના પુત્રએ દોડી આવી યુવાનને છોડાવવાનો પ્રયાસ કરતા કિશોર સહિત ચારે’યે યુવાન પર પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય નાસી છૂટ્યા હતા. મોડી રાત્રે બનેલી ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા, દરમિયાન આ ઘટના અંગે ઈજાગ્રસ્ત યુવાને નિલમબાગ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 
શહેરના જૂની વિઠ્ઠલવાડી ‚મ નં. ૫૦૩માં રહેતા અને વિઠ્ઠલવાડી વિસ્તારમાં જ પાનમસાલાની દૂકાન ધરાવતા બળભદ્રસિંહ જીતેન્દ્રસિંહ પરમાર (ઉં.વ.૩૩)એ અજાણ્યા કિશોર અને તેની સાથેના અન્ય ત્રણ શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં એવી ફરીયાદ નોંધાવી હતી કે, ગત મોડી રાત્રીના તેની દૂકાને પોતાના પિતા જીતેન્દ્રસિંહ કરણસિંહ પરમાર (ઉં.વ.૫૯) બેઠા હતા તે દરમીયાન દૂકાને સિગારેટ ખરીદવા એક અજાણ્યો કિશોર આવ્યો હતો, જેણે સિગારેટ ખરીદ્યા બાદ દૂકાનની સામે જ સીગારેટ જલાવી તેના ધૂમાડા જીતેન્દ્રસિંહ પરમાર સામે કાઢવા લાગ્યો હતો, જેથી જિતેન્દ્રસિંહને ધૂમાડાની એલર્જી હોય તેણે અજાણ્યા કિશોરને બાજુમાં જઈ સિગારેટ ફૂુંકવા જણાવતા કિશોર જીતેન્દ્રસિંહ સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો, જે દરમિયાન દૂકાનની બાજુમા રહેલ ફરીયાદી બળભદ્રસિંહના મિત્ર દિવ્યરાજસિંહ હરદેવસિંહ રાઠોડએ આવી કિશોેરને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં કિશોરે ઉશ્કેરાઈ જઈ દિવ્યરાજસિંહ પર હૂમલો કરી ઈજાઓ પહોંચાડી રહ્યો હતો, જેની જાણ ફરીયાદીને થતા ફરીયાદ તુરંત પોતાની દૂકાને આવતા અજાણ્યો કિશોર અને તેની સાથેના અન્ય ૩ શખ્સો મળી દિવ્યરાજસિંહને માર મારી રહ્યા હતા, જેને છોડાવવા માટે ફરીયાદી પણ વચ્ચે પડ્યા હતા, પરંતુ ચારેય શખ્સોએ ફરીયાદીને પણ માર મારવા લાગ્યા હતા. જે દરમિયાન અજાણ્યા કિશોરે ઈંટનો ઘા કરતા ફરીયાદીને કપાળના ભાગે લોહીયાળ ઈજાઓ પહોંચી હતી, તે દરમિયાન લોકોના ટોળા એક્ઠા થઈ જતા અજાણ્યા કિશોર સહીતના ચારેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા. 
બળભદ્રસિંહ પરમારએ નોંધાવેલી ફરીયાદના પગલે નિલમબાગ પોલીસે ઘટનાસ્થળના સીસી ટીવી કૂટેજ ચકાસી હુમલો કરનારની ઓળખ કરવા તેમજ તમામ સામે ગૂનો દાખલ કરી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. જ્યારે બનાવથી વિઠ્ઠલવાડી વિસ્તારમા ભયનો માહોલ છવાયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application