રાણાકંડોરણા ગામે અનાજ કરિયાણના વેપારી ઉપર ચાર શખ્શોએ કર્યો ઘાતક હુમલા

  • October 12, 2024 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાણાકંડોરણા ગામે અનાજ કરિયાણના વેપારી ઉપર ચાર શખ્શોએ ઘાતક હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
રાણાકંડોરણાના નાથાભાઇ રામભાઇ વ‚ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે કે તા. ૧૦-૧૦ના તેઓ તેમની દુકાને હતા ત્યારે તેમના ભાઇ દેવશીભાઇ રામભાઇની અનાજ કરિયાણાની દુકાને ઝઘડાનો અવાજ આવતા તેઓ દોડીને ત્યાં તાત્કાલિક પહોંચી ગયા હતા ત્યારે તેના જ ગામનો જીવા મેરામણ સુંડાવદરા ફરિયાદી નાથાભાઇના ભાઇ દેવશી સાથે ઝઘડો કરતો હતો અને ‘તું મારી પત્ની સામે કેમ ખરાબ નજરે જોવે છે? હવે તમે ગામમાં કેમ ધંધો કરો છો?’ તેમ કહી  ધમકી આપી દેવશીને બે-ત્રણ થપ્પડ મારી જતો રહ્યો હતો. ફરિયાદીએ એવુ જણાવ્યુ છે કે તેઓ વેપાર-ધંધાવાળા માણસો હોવાથી ઝઘડો કરવો ન હતો તેથી કોઇને જાણ કરી ન હતી.
તા.૧૧ના બપોરે બારેક વાગ્યે ફરીથી દેવશીની દુકાને ઝઘડો થતા બુમાબુમ થઇ હતી અને દેવા મેરામણ સુંડાવદરા તથા અજાણ્યા ત્રણ માણસોના હાથમાં લોખંડના પાઇપ હતા. અને ચારેય ઇસમો ફરીયાદીના ભાઇ દેવશીને મારતા હતા. 
 અને કહેતા હતા કે, ‘તુ મારા ભાઇ જીવા પાસેથી પૈસાની ઉઘરાણી કરીશ કે તેના ઘર બાજુથી નીકળીશ તો મારી નાખશુ’તેમ કહી ગાળો દઇ કારમાં જતા રહ્યા હતા. 
ફરીયાદી તેના ભાઇને રેકડીમાં બેસાડીને રાણાકંડોરણાના સરકારી દવાખાને સારવાર માટે લવાયા બાદ ૧૦૮ મારફતે પોરબંદર લાવવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે. તેથી ભોગ બનનારના ભાઇ નાથાભાઇ વ‚એ જીવા મેરામણ સુંડાવદરા અને દેવા મેરામણ સુંડાવદરા તથા ત્રણ અજાણ્યા ઇસમો સામે ઘાતક હુમલો કરીને પોતાના ભાઇને માર્યાનો ગુન્હો નોંધાવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application