રાજકોટ મધ્યસ્થ જેલના ચાર કેદી ધોરણ ૧૦માં થયા ઉતિર્ણ

  • May 11, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મધ્યસ્થ જેલનું ધો.૧૦નું ૫૦ ટકા પરીણામ આવ્યું છે. ૮ કેદીએ પરીક્ષા આપી હતી. આજે રીઝલ્ટ આવતા ચાર કેદી પાસ થયા છે. પાસ થયેલા કેદીઓ તથા જેલ વિભાગમાં શિક્ષણ વિભાગ સંભાળતા કર્મચારીનું સન્માન કરાયું હતું.

રાજકોટ જેલમાંથી ૮ બંદીવાનોએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. તેમાં પાકા કામના કેદી ચુડાસમા નરેશ મનસુખભાઈ તથા વેસરા રવા હમીરભાઈ પાસ થયા હતા. જયારે કાચા કામના બે આરોપી જુનેદ ઈકબાલભાઈ ચૌહાણ, પાર્થ મહેશભાઈ જોગીયાણી ઉતિર્ણ થયા હતા.
જેલમાં શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા ફરજ જેલ સહાયક દ્રારા અભ્યાસ કરતા કેદીઓ પ્રત્યે સતત ધ્યાન કેન્દ્રીત કરાયું હતું. ચાર કેદી પાસ થતાં જેલ સહાયક જસ્મીન ચંદ્રવાડીયાને જેલ અધિક્ષક એ.પી.જાડેજાએ પ્રસંશાપત્ર આપી અભિનંદન આપ્યા હતા. જયારે પાસ થયેલા ચારેય બંદીવાનને પીઆઈ એમ.આર.ઝાલાએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application