મોરબીના તનિષ્કમાં ૧.૫૬ કરોડ ઉચાપત કેસમાં મેનેજર-કર્મચારી સહિત ચાર ઝડપાયા

  • May 14, 2024 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં આવેલ જાણીતી બ્રાંડ તનિષ્કના શો રૂમમાં ફરજ બજાવતા મેનેજર, કર્મચારીઓ સહિતનાઓએ મળીને દાગીના ચાઉં કરી જઈને તેમજ ખોટી રીસીપ બનાવી કુલ રૂ ૧.૫૬ કરોડની ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે ચાર આરોપીને ઝડપી લીધા છે
રવાપર લીલાપર રોડ પર પ્લેટીનયમ હાઈટ્સમાં હેતા વિમલભાઈ બાવનજીભાઈ ભાલોડીયાએ આરોપીઓ હરિભાઈ જયંતીલાલ ભટી રહે પંચાસર રોડ શિવ સોસાયટી મોરબી, આશિષભાઈ રહે મોરબી, ઈરફાન સાદિક વડગામ રહે વાવડી રોડ મોરબી, ભાવના પ્રેમજીભાઈ સોલંકી રહે માળિયા વનાળીયા સોસાયટી સામાકાંઠે મોરબી અને ધવલ અલ્પેશભાઈ પટની રહે ગ્રીન ચોક પાસે મોરબી એમ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે શો રૂમના મેનેજર અને કર્મચારીઓએ ઘણા બધા ઘરેણાના રૂપિયા ગ્રાહક પાસેી લઈને ઘરેણા સોપી આપેલ પણ તેના રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા ના હતા અને પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે લીધા હતા
કુલ રૂ ૧,૫૬,૧૪,૦૦૦ની ઉચાપત કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને પોલીસે આરોપી હરિભાઈ ભટી, આશિષભાઈ, ઈરફાન વડગામા અને ધવલ પટની એમ ચારને ઝડપી લીધા છે  તો મહિલા આરોપીની શોધખોળ હા ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application