બાબા બાગેશ્વરના શરણે પૂર્વ CM વિજય રૂપાણી, જુઓ Video...

  • June 02, 2023 01:58 PM 


રાજકોટમાં ગઈકાલે બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. લાખોની સંખ્યામાં ભક્તો રેસકોર્સ મેદાન ખાતે ઉમટી પડ્યા હતા. આ તકે ભક્તોની સાથે રાજકીય સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સ્ટેજ પર જઈને સંતો મહંતો આયોજક કમિટી તેમજ રાજકીય આગેવાનોએ બાબા બાગેશ્વરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત સિવાય બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જ્યાં ઉતારો છે ત્યાં પણ કેટલાક અગ્રણીઓ તેમની મુલાકાતે પહોંચ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અમીન માર્ગ પર કિંગ હાઈટ ખાતે કિશોર ખંભાયતાના નિવાસ્થાને પહોંચ્યા હતા અને બાબા બાગેશ્વરના આશીર્વાદ લીધા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને કોર્પોરેટર નેહલ શુક્લા પણ જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application