દિલ્હી પોલીસે સીએમ હાઉસમાં આમ આદમી પાર્ટીના રાયસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હત્પમલાના કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ ની રચના કરી છે. અત્યાર સુધી આ કેસની તપાસ કરી રહેલા ઉત્તર જિલ્લાના એડિશનલ ડીસીપી અંજિતા ચિપિયાલા જ સીટનું નેતૃત્વ કરશે.
આમ આદમી પાર્ટીના રાયસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ હાઉસમાં તેની સાથે મારપીટ થયાનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપ અરવિંદ કેજરીવાલનાં નજીકના વ્યકિત વિભવ કુમાર પર લગાવ્યા છે. દિલ્હી પોલીસે માલીવાલ સાથે મારપીટના મામલે વિભવ કુમારની ધરપકડ કરી લીધી હતી.
સીટમાં અંજિતા ઉપરાંત ઇન્સ્પેકટર રેન્કના ત્રણ અધિકારીઓ સામેલ છે. તેમાંથી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના એસએચઓ પણ છે, યાં કેસ નોંધાયેલ છે. સીટ ટીમ સમય સમય પર વરિ અધિકારીઓને તપાસ રિપોર્ટ સોંપશે. સીટ આ કેસમાં દરેક લિંકને જોડવાનો પ્રયાસ કરશે. સૌથી પહેલા પોલીસ વિભવનો મોબાઈલ ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને આશા છે કે આનાથી તેમને લીડ મળી શકે છે.પોલીસે સીસીટીવી ડીવીઆર કબજે કયુ હતું. તેના દ્રારા તેમનો પ્રયાસ છે કે તેઓ સીસીટીવીના બ્લેન્ક ભાગને કાઢી શકશે.
અગાઉ પોલીસે માલીવાલ પર હત્પમલો કરવાના આરોપી વિભવ કુમારની ધરપકડ કરી લીધી હતી. બાદમાં પોલીસ વિભવને સીએમ હાઉસ લઈ ગઈ હતી, યાં સીન રીક્રિએટ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભવને ડ્રોઈંગ મમાં પણ લઈ ગઈ યાં માલીવાલ સાથે મારપીટનો આરોપ છે. દિલ્હી પોલીસ વિભવ પાસેથી તમામ સવાલોના જવાબ જાણવા માંગે છે, ૧૩મીએ સવારે શું થયું હતું? દિલ્હી પોલીસે ક્રમમાં તમામ પ્રશ્નોના જવાબો નોંધ્યા, તેમને મેપ કર્યા અને તેની ફોટોગ્રાફી પણ કરી.વિભવ કુમારના રિમાન્ડનો આજે ત્રીજો દિવસ છે. પોલીસ તેને ગુવારે કોર્ટમાં રજૂ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech