દેશમાં પહેલી સપ્ટેમ્બરથી અનલોક 4 શરૂ થવા જઈ રહ્યું છે. સરકારે આ અંગે ગાઈડલાઈન પણ જારી કરી દીધી છે. ત્યારે કેટલીક બાબતોમાં છૂટ મળી છે પરંતુ અનેક બાબતોમાં હજી છૂટછાટ આપવામાં આવી નથી. જેમાં 30 સપ્ટેમ્બર સુધી યાત્રીઓ વિદેશની મુસાફરી કરી શકશે નહીં. કારણકે 30 સપ્ટેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ફલાઈટને ઊડવાની પરવાનગી આપવામાં આવી નથી. ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા કરવા માટે ગૃહ મંત્રાલયાની સ્પેશિયલ પરમિશન લેવી જરૂરી બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અનલોક 4 ની ગાઈડ લાઈન અનુસાર શરતો સાથે 7 સપ્ટેમ્બરથી મેટ્રોની છુટ આપવામાં આવશે જ્યારે, 21 સપ્ટેમ્બરથી ધાર્મિક,સામાજીક, રાજનૈતિક વગેરેના સમારંભ કરવાની શરતી છુટ આપી છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. જોકે તેમને વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે, સોશિયલ ડિસ્ટન્સ જરૂરી વગેરે જેવી અનેક શરતો સાથે છુટ આપવામાં આવી છે. 21 સપ્ટેમ્બરથી ધાર્મિક આયોજનોમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે. સામાજિક, શૈક્ષણિક, ખેલકુદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા 21 સપ્ટેમ્બરથી કરી શકાશે જ્યારે આ દરમિયાન સૌએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. થર્મલ સ્કેનિંગ કરાવવાનું રહેશે તેમજ હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ અનિવાર્ય થઈ જશે.
જેની રાહ હતી એવા સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થીએટર જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ રહેશે. ગૃહ મંત્રાલયાની સ્પેશિયલ પરમિશન સિવાય ઇન્ટરનેશનલ હવાઈ યાત્રા ઉપર પ્રતિબંધ રહેશે. અનલોક 4ની જાહેર થયેલ ગાઈડ લાઈન અનુસાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન જાહેર કરવા પહેલા કેન્દ્રની પરમિશન લેવી પડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationએલન મસ્કની મુશ્કેલીઓ વધી : સેટેલાઈટ કંપની સ્ટારલિંકને ભારતમાં કાર્યરત થવા આવી છે અડચણ
April 15, 2021 06:53 PMદાણાપીઠમાં શુક્ર-શનિ-રવિ લોકડાઉન પૂર્વે ધૂમ ખરીદી: ટ્રાફિકજામ
April 15, 2021 05:59 PMવોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક
April 15, 2021 05:55 PMરાજકોટમાં કોરોનાથી જૈન સાધ્વીજી પુષ્પાબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
April 15, 2021 05:24 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech