ગઇકાલે મેઘરાજાએ વિરામ પાડતા વાવણી કાર્ય પુરજોશમાં: સાત દિવસ સુધી વરસાદની આગાહી
હાલારમાં ગઇકાલે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો, શહેરમાં વાદળો બંધાયા હતાં અને હળવા છાંટા પડયા હતાં, પરંતુ સાંજે પવનની ઝડપ વધીને 60 કિ.મી. થઇ હતી, આજ સવારથી જ જામનગરમાં વાદળીયું વાતાવરણ છે, બીજી તરફ ગામડાઓમાં મગફળી અને કપાસનું વાવેતર પુરજોશમાં ચાલું છે, એક અંદાજ મુજબ આશરે પોણા બે લાખ હેકટરમાં આ વાવેતર થઇ ચૂકયું છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 33.5 ડીગ્રી, લઘુતમ તાપમાન 28 ડીગ્રી, હવામાં ભેજ 82 ટકા અને પવનની ગતિ 55 થી 60 કિ.મી. પ્રતિકલાક રહી હતી. આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે. જામનગર સહિત દેવભુમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડાઓમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે અને કેટલાક સ્થળોએ ઝાપટા પડયા છે.
ગામડાઓમાં પણ ફરીથી બે દિવસમાં સારો વરસાદ થયો છે, 15 ડેમમાં નવા નીરની આવક થઇ છે જયારે અનેક ચેકડેમો ભરાઇ ચૂકયા છે ત્યારે પીવાના પાણીની સમસ્યા હાલ તો થોડા ઘણા અંશે ઉકેલાઇ ગઇ છે.
દશેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને હવે ફરીથી બે દિવસથી ગામડાઓમાં જોરદાર વરસાદ શ થયો છે. ત્યારે ધરતીપુત્રો વાવણી કાર્યમાં લાગી ગયા છે, ખાસ કરીને હાલારના મોટાભાગના વિસ્તારોમાં કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે, જયારે મગફળી ઉપરાંત શાકભાજી, તલ, એરંડા અને ઘાસચારાનું પણ વાવેતર ધીમે-ધીમે શ થઇ ચૂકયું છે, જામનગરમાં પણ વાદળો છવાતા રહેતા હોય છે, પરંતુ વરસાદ વરસતો નથી.
કાલાવડ, જામજોધપુર સહિતના કેટલાક વિસ્તારોમાં મગફળી અને કપાસનું વાવેતર શ થઇ ગયું છે, લગભગ 1.75 લાખ હેકટરમાં વાવેતર થયું છે ગયા વખતે 3.48 લાખ હેકટરમાં કપાસ, મગફળી સહિત અન્ય ચીજવસ્તુઓનું વાવેતર થયું છે અને કેટલાક ગામડાઓમાં 40 ટકા જેટલો વરસાદ ત્રણ દિવસમાં પડી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech