પોરબંદરમાં બરડાઇ બ્રહ્મસમાજના જરિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
શ્રી પોરબંદર તળપદ બરડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ -૨ કોળીવાડ, સંત ત્રિકમાચાર્ય માર્ગ, પોરબંદર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૭૦ જરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમાં ખાદ્ય સામગ્રીમાં ૫ કિલો ઘઉં, ૧ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૫૦૦ ગ્રામ તુવેરદાળ, ૫૦૦ ગ્રામ ચણાદાળ, ૧ કિલો તેલ, ૫૦૦ ગ્રામ વેસણ, ૫૦૦ ગ્રામ રવો, ૫૦૦ ગ્રામ મમરા, ૧ કિલો ગોળ, ૧ કિલો ખીચડી, ૫૦૦ ગ્રામ પૌઆ, ૧ પેકેટ બાકસ, ૧ પેકેટ નમક, ૫૦૦ ગ્રામ મેંદોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં દિનેશભાઇ થાનકી, કિરણકુમાર જે. થાનકી, ધવલકુમાર જે. જોષી, નિરજકુમાર એચ. જોષી, શાંતિલાલ વી. થાનકી, અતુલકુમાર જે. મોઢા, તેજશભાઇ જે. થાનકી, જય આઇ. થાનકી, મિતેશભાઇ જોષી તથા નિરુબેન થાનકી, તૃપ્તિબેન જોશી, ભરતભાઇ જોષી વગેરેએ હાજરી આપી હતી. જ્ઞાતિની ગંગા સ્વપ તથા નિરાધાર બહેનો પણ તહેવારની ઉજવણી કરી શકે તેવા હેતુથી સહાય કરવામાં આવે છે. આ સેવાકીય કાર્યમાં આર્થિક અનુદાન તેમજ વસ્તુદાન આપનાર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ થાનકી અને ધવલકુમાર જોષીએ આભાર વ્યકત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech