પોરબંદરમાં શ્રી તળપદ બરડાઇ બ્રહ્મસમાજના જ‚રિયાતમંદ પરિવારોને અપાયુ અનાજ

  • August 24, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં બરડાઇ બ્રહ્મસમાજના જ‚રિયાતમંદ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
શ્રી પોરબંદર તળપદ બરડાઇ બ્રાહ્મણ જ્ઞાતિ -૨ કોળીવાડ, સંત ત્રિકમાચાર્ય માર્ગ, પોરબંદર ખાતે જન્માષ્ટમીના પર્વ નિમિત્તે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૭૦ જ‚રિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ જેમાં ખાદ્ય સામગ્રીમાં ૫ કિલો ઘઉં, ૧ કિલો ચોખા, ૧ કિલો ખાંડ, ૫૦૦ ગ્રામ તુવેરદાળ, ૫૦૦ ગ્રામ ચણાદાળ, ૧ કિલો તેલ, ૫૦૦ ગ્રામ વેસણ, ૫૦૦ ગ્રામ રવો, ૫૦૦ ગ્રામ મમરા, ૧ કિલો ગોળ, ૧ કિલો ખીચડી,  ૫૦૦ ગ્રામ પૌઆ, ૧ પેકેટ બાકસ, ૧ પેકેટ નમક, ૫૦૦ ગ્રામ મેંદોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં દિનેશભાઇ થાનકી, કિરણકુમાર જે. થાનકી, ધવલકુમાર જે. જોષી, નિરજકુમાર એચ. જોષી, શાંતિલાલ  વી. થાનકી, અતુલકુમાર જે. મોઢા,  તેજશભાઇ જે. થાનકી, જય આઇ. થાનકી, મિતેશભાઇ જોષી તથા નિરુબેન થાનકી, તૃપ્તિબેન જોશી, ભરતભાઇ જોષી વગેરેએ હાજરી આપી હતી. જ્ઞાતિની ગંગા સ્વ‚પ તથા નિરાધાર બહેનો પણ તહેવારની ઉજવણી કરી શકે તેવા હેતુથી સહાય કરવામાં આવે છે. આ સેવાકીય કાર્યમાં આર્થિક અનુદાન તેમજ વસ્તુદાન આપનાર દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન સાથે સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ થાનકી અને ધવલકુમાર જોષીએ આભાર વ્યકત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application