પાકિસ્તાન ઉપર ભારત દ્વારા કરવામાં આવેલ હુમલા બાદ સુરક્ષા અનુસંધાને પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ચાર એરપોર્ટની ફલાઇટો ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.
ભારતીય સેનાએ શ કરેલા ઓપરેશન ’સિંદૂર’ હેઠળ પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક ના પગલે આજે બપોર સુધીની રાજકોટ આવતી તમામ ૧૧ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને રાજકોટ, જામનગર, ભુજ અને પોરબંદર એરપોર્ટને તારીખ ૭, ૮ અને અને ૯ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મુંબઈની ૫ દિલ્હી- પુણેની ૨ અને હૈદરાબાદ બેંગ્લોરની એર ઇન્ડિયા અને ઈન્ડિગો એરલાઇન્સની કુલ ૧૧ ફ્લાઈટ્સનો સમાવેશ ાય છે. જેના કારણે ૩,૦૦૦ કરતા વધારે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય સેનાએ અડધી રાત્રે શ કરેલા ઓપરેશન ’સિંદૂર’ અંતર્ગત પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરતા ગુજરાત શહિત દેશભરની હવાઈ સેવા પર અસર જોવા મળી છે. ફ્લાઇટ પર અસર જોવા મળી રહી છે. ખાસ કરીને એર ઈન્ડિયાએ જમ્મુ કાશ્મીર, રાજસન, ચંડીગઢ, પંજાબ જતી તમામ એટલેફ્લાઇટ્સ રદ કરી છે. જામનગર, ભુજ, રાજકોટ, જોધપુર, અમૃતસરની તમામ ફ્લાઈટ રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટસ પણ રદ કરવામાં આવી છે. એરપોર્ટ ઓોરિટી દ્વારા આ અંગેની જાણ કરવામાં આવી છે. પાકિસ્તાનની કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવાના ભાગરૂપે રાજકોટ, જામનગર, ભુજ અને પોરબંદર સહિત દેશના ૧૧ એરપોર્ટને સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ઇન્ડિયન એરફોર્સની કાર્યવાહી બાદ સૌી પહેલા ઉત્તર ભારતના શ્રીનગર, અમૃતસર, લેહ, ધર્મશાળા અને જમ્મુ એરપોર્ટને પણ બંધ કરી દેવામાં આવ્યા હતા તા ગુજરાતની દરિયાઈ અને જમીનની સરહદ ી પાકિસ્તાન સો જોડાયેલા મહત્વના ૪ એરપોર્ટને પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય સેનાએ અડધી રાત્રે પાકિસ્તાનના ૯ ઠેકાણે એરસ્ટ્રાઈક કર્યા બાદ ભારતભરમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણા પર હુમલા કર્યા હતા. જે બાદ શ્રીનગર એરપોર્ટ સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયું છે. આટલું જ નહીં ભારતમાં અનેક ફ્લાઇટ્સ રદ પણ ઈ છે. એરપોર્ટ ઓોરિટી દ્વારા આ અંગે જાણ કરીને મુસાફરોને યાત્રા શરૂ કરતાં પહેલાં જાણકારી મેળવી લેવાની સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબનાસકાંઠાના સરહદી 24 ગામોમાં તાત્કાલિક બ્લેકઆઉટ જાહેર, અફવાઓથી દૂર રહેવા કલેક્ટરની અપીલ
May 10, 2025 10:07 PMપાટણના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણ બ્લેકઆઉટ જાહેર, કલેક્ટરની નાગરિકોને શાંતિ જાળવવા અપીલ
May 10, 2025 10:06 PMકચ્છમાં અનેક ડ્રોન જોવા મળ્યા, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
May 10, 2025 10:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech