રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્રારા એરલાઇન્સ કંપનીઓને હવે લેન્ડિંગ અને ટ નેવિગેશન ચાર્જમાં રાહત મળશે. જેના માટે એરપોર્ટ ઓથોરિટી દ્રારા ખાસ વિશેષ ઓફર મુકવામાં આવી છે.
હીરાસર એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ લાઇટ આગામી ટૂંક સમયમાં શ થવા જઈ રહી છે જોકે હાલમાં મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને દિવાળી બાદ આંતરરાષ્ટ્ર્રીય લાઇટ ઓપરેટ થશે તેવું જાણવા મળી રહ્યું છે.
હાલમાં રાજકોટ ખાતેથી એર ઇન્ડિયા અને ઇન્ડિગો એરલાઇન્સ કાર્યરત છે. આ બંને એરલાઇન કંપનીઓની દિલ્હી, મુંબઈ ,ગોવા, બેંગ્લોર હૈદરાબાદ, અમદાવાદની ફલાઈટ ઉડાન ભરી રહી છે. જેમાં એરક્રાટના વજન પર ઓથોરિટી દ્રારા ચાર્જ લેવામાં આવતો હોય છે. યારે આર એન એફ સી.એટલે કે ટ નેવિગેશન ફેસીલીટીનો ચાર્જ પેસેન્જરોની ક્ષમતા મુજબ લેવામાં આવતા હોય છે.
ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ લાઈટ ના ભાવમાં તફાવત હોય છે. એમાં એટીઆરનું લેન્ડિંગ ફ્રીમાં થતું હોય છે. બાકી અલગ અલગ વીમાનોના વજન મુજબ તેનો ચાર્જ વસુલાતો હોય છે.
હવે એરપોર્ટ ઓથોરિટી એરલાઇન કંપનીઓને આકર્ષવા માટે ખાસ કરીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ લાઇટ વહેલી તકે શ થાય તે માટે એક પ્રોત્સાહક યોજના શ કરવાની દરખાસ્ત મૂકી છે. જે અંતર્ગત ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઇટ માટે આગામી ત્રણ વર્ષના સમય માટે લેન્ડિંગ ચાર્જ અને ટ નેવિગેશન ફેસિલિટી ચાર્જમાં ખાસ ઓફર આપવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech