રાજકોટ શહેરમાં કોરોના વાયરસનું સંમણ યથાવત છે. વધુ પાંચ નવા પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમમાં દોડધામ વધી ગઈ છે. આ સાથે શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૩૭ પર પહોંચી ગયો છે, જ્યારે ૩૩ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.
આ વિસ્તારોમાં નવા કેસ મળી આવ્યા
પ્રાપ્ત વિગત મુજબ નવા નોંધાયેલા પાંચ કેસ પૈકી બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. એક ૪૫ વર્ષીય મહિલા (માતર સોસાયટી, વોર્ડ-૧૪) વિયેતનામથી પરત ફર્યા હતા, જ્યારે ૫૨ વર્ષીય પુરૂષ (ઉમાપાર્ક, વોર્ડ-૧૦) જામનગરથી આવ્યા હતા. અન્ય કેસમાં ૫૬ વર્ષીય પુરૂષ (અતિથિ ચોક, વોર્ડ-૮), ૨૫ વર્ષીય પુરૂષ (સોપાન હાઈટ, વોર્ડ-૧) અને ૬૯ વર્ષીય મહિલા (રૈયા રૈ રોડ, વોર્ડ-૮)નો સમાવેશ થાય છે.
હાલ પાંચેય દર્દીઓની તબિયત હાલ સ્થિર
હાલ પાંચેય દર્દીઓની તબિયત હાલ સ્થિર છે અને તેઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મોટાભાગના દર્દીઓએ કોરોના વેક્સિનના ત્રણેય ડોઝ લીધા હોવાનું પણ સામે આવ્યું છે
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
રાજકોટ શહેરમાં કુલ ૩૯ કેસ નોંધાયા છે, જેમાં ૪ દર્દીઓ સાઝા થઈ ચૂક્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહિતના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMજામનગરમાં શ્રમીક યુવાનને દારુનો કેસ કરવાની દાંટી મારીને ૨૦ હજારનો તોડ
June 03, 2025 11:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech