કારખાનાની મેઇન સ્વીચ ઓફ કરી અંદરથી કળા કરી ગયા : શકમંદની કરાતી પુછપરછ
જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં હોળી-ધુળેટી ના તહેવાર દરમિયાન એક બંધ રહેલા કારખાનાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
તસ્કરોએ કારખાનામાં પ્રવેશતા વેળાએ મેઇન સ્વીચ બંધ કરી દીધી હોવાથી અંધારું થઈ જતાં સીસીટીવી કેમેરા ઓફ થઈ ગયા હતા, પરંતુ પોલીસે અન્ય કારખાનાઓના સીસીટીવી કેમેરા ની મદદથી એક શકમંદને ઉઠાવી લીધો છે, અને ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.
જામનગરમાં શરુસેક્શન રોડ પર રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કેલ્વિન મશીન ટૂલ્સ નામનું કારખાનું ધરાવતા અભિષેકભાઈ ભરતભાઈ મકવાણાએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો, અને પોતાના કારખાનામાં હોળી- ધૂળેટીના તહેવારની રજા દરમિયાન પોતાના બંધ રહેલા કારખાનાને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હોવાનું અને કારખાનાનું શટર ઉચકાવી અંદર પ્રવેશ મેળવી લઈ ટેબલનો લોક તોડી નાખી અંદરથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર તસ્કરો કોઈ જાણભેદુ હોવાનું અને તેઓએ સૌ પ્રથમ કારખાનાની અંદર પ્રવેશતાની સાથે જ મેઈન સ્વીચ ઓફ કરી દીધી હોવાથી લાઈટ બંધ કરી દીધી હતી.
જે ફરિયાદના અનુસંધાને પંચકોશી બી. ડિવિઝનના પી.આઇ. વી.જે. રાઠોડ તેમની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ચોરીનો ભેદ ઉકેલવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે આસપાસના કારખાનાના સીસીટીવી કેમેરા વગેરે તપાસ્યા હતા, અને તેના આધારે એક શકમંદને ઉઠાવી લઇ સધન પુછતાછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech