તમામ વિધાનસભા મત વિસ્તાર દીઠ પાંચ ઈવીએમની મેળવણી વીવીપેટ સાથે કરાશે

  • May 28, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોઈ રાજકીય પક્ષ કે ઉમેદવારની માગણી ન હોવા છતાં ઈવીએમ પર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપવા અને ચૂંટણીની પારદર્શિતા સ્પષ્ટ્ર કરવા માટે આ વખતે તમામ વિધાનસભા મતવિસ્તાર દીઠ પાંચ પાંચ ઈવીએમ અને તેને લાગુ વીવીપેટમાં પડેલા મતનું મેળવણું કરવામાં આવશે તેવી જાહેરાત ચૂંટણી પંચે કરી છે.
બે દિવસ પહેલા મતગણતરી સાથે જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે તાલીમ આપવામાં આવી હતી અને તેમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન. કે. મુછારે આ બાબતે સૂચના આપી હતી.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ તાલીમાર્થીઓને જણાવ્યું હતું કે બેલેટ પેપર અને ઇવીએમના તમામ મતની ગણતરી પૂરી થયા પછી દરેક વિધાનસભા મત વિસ્તારના પાંચ– પાંચ ઇવીએમ અને તેને સંલ વીવીપેટ સિસ્ટમથી પસદં કરીને તેમાં મકનું મેળવણું કરવાનું રહેશે. જે તે ઇવીએમમાં જેટલા મત પડા હોય તેટલા જ મત વીવીપેટમાંથી નીકળે છે કે નહીં ?જે તે ઉમેદવારને મળેલા મત અને વીવીપેટની ચીઠી એકબીજા સાથે મેળ ખાય છે કે નહીં તે તમામ બાબતનું ચેકિંગ કરીને અહેવાલ રજૂ કરવાનો રહેશે.

ચૂંટણી સ્ટાફને તાલીમ આપવાનું પૂં થઈ ગયું છે અને હવે બેલેટ પેપરની મતગણતરી કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપવા માટે આગામી તારીખ ૨૯ ના રોજ કલેકટર કચેરીમાં તાલીમ આપવામાં આવશે. રાજકોટની બેઠકમાં ૧૬,૫૦૦ જેટલા બેલેટ પત્ર આવ્યા છે તેની મતગણતરી ૨૬ ટેબલમાં કરવામાં આવશે. તમામ બેલેટ પેપર સીલબધં કવરમાંથી ખોલીને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ઉમેદવારોની હાજરીમાં તેના ૫૦૦– ૫૦૦ ના થપ્પા કરવામાં આવશે અને ત્યાર પછી તેની ગણતરી કરવામાં આવશે.
મતગણતરીના દિવસો જેમ જેમ નજીક આવતા જાય છે તેમ તેમ ચૂંટણી પંચમાં તે અંગેની ગતિવિધિઓ વધી ગઈ છે. આજે બપોરે ૪:૦૦ વાગે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા આ સંદર્ભે મત ગણતરીનું માર્ગદર્શન આપવા વીડિયો કોન્ફરન્સ નું આયોજન કરવામાં
આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application