ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના અને સ્વાઈન ફ્લૂએ પુનઃ પગપેસારો કર્યો છે.ભાવનગર શહેરના અકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લુથી શહેરના સર ટી.હોસ્પિટલમાં મોત નીપજતાં આ સીઝનમાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોત થયું છે.શહેર અને જિલ્લામાં કોરાનાના ચાર દર્દીઓની સ્થિતિ યથાવત છે.જ્યારે સ્વાઈન ફ્લૂના ૭ દર્દીઓ સારવારમાં છે.
ચાર વર્ષ બાદ પણ કોરોના હજી લોકોનો પીછો છોડતો નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં પૂનઃ કોરોના અને સ્વાઇન ફ્લુએ પગ પેસારો કર્યો છે. ભાવનગર શહેરના અકવાડા વિસ્તારના ૫૮ વર્ષીય વૃદ્ધ મહિલાને સ્વાઈન ફ્લુ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ.આમ,ભાવનગર માં સ્વાઈન ફ્લૂથી આ સિઝનનું પ્રથમ મોત નિપજ્યું હતુ. હાલ ભાવનગર જિલ્લામાં સ્વાઈન ફ્લુના સાત દર્દીઓ સારવાર હેઠળ છે.
સરદાનગર વિસ્તારની યુવતીને કોરોના થવાથી દાખલ કરવામાં આવી હતી જ્યાં બુધવારે તેને ઓક્સિજન પર રાખવામાં આવી હતી તેની સ્થિતી વધુ બગડતા તેને હાલ બાયટેપ મશીન પર રાખવામાં આવી છે. જ્યારે પાલીતાણાના શખ્સને કોરોના કારણે ગઈકાલે બાઈટેપ મશીન પર રાખવામાં આવ્યા હતા પરંતુ તેની સ્થિતિ સુધરતા હવે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
આમ, કોરોનાના બે દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે ભાવનગર શહેરના પરિમલ ચોક સત્યનારાયણ રોડ ઉપર રહેતા ૭૭ વર્ષના વૃદ્ધ અને ૭૮ વર્ષના મહિલાને ગઈકાલે કોરોના પોઝીટીવ આવતા હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.આમ,ભાવનગર શહેરમાં ત્રણ અને જિલ્લાના એક એમ કુલ ચાર વ્યક્તિઓને કોરોના થયો છે.
ભાવનગર શહેરના જિલ્લામાં ફરી કોરોના અને દેખા દેતા ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.લોકોને થોડા પણ ચિન્હ દેખાય તો તરત જ આ બંને કચેરીઓ હેઠળના આરોગ્ય સેન્ટરોનો સંપર્ક કરવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech