ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ, આરોપીએ કરી આત્મહત્યા

  • February 08, 2024 10:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્રણ ગોળીઓ તેમને વાગી છે. અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે. 


વિનોદ ઘોસાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને આ ગોળીબાર તેમના પુત્ર અભિષેક ઘોસાલકર પર થયો હતો. હાલ તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પોરેટર છે.


મળતી માહિતી પ્રમાણે પરસ્પર વિવાદના કારણે ફાયરિંગ કરવામાં આવ્યાની જાણકારી મળી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી છે. મોરીસ ભાઈ નામના વ્યક્તિ પર ગોળીબારનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.


આદિત્ય ઠાકરેએ શું કહ્યું?

આ ઘટના પર શિવસેના (યુબીટી)એ કહ્યું કે મહારાષ્ટ્રમાં 'ગુંડારાજ' છે. એક મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂ પ્રમાણે આદિત્ય ઠાકરેએ કહ્યું કે અશોક તેમને મળવા માતોશ્રી પહોંચ્યા હતા અને હવે સમાચાર આવ્યા કે તેમને ગોળી મારી દેવામાં આવી છે. રાજ્યમાં શું થઈ રહ્યું છે? અહીં ગુંડાઓની સરકાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application