બિહારના ઔરંગાબાદમાં પાકિગને લઈને થયેલા વિવાદમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી મુજબ, કારમાં સવાર ૪ લોકોએ દુકાનની બહાર કાર પાર્ક કરવાને લઈને દુકાનદાર સાથે ઝઘડો કર્યેા હતો. આ દરમિયાન કારમાં સવાર એક વ્યકિતએ ગોળીબાર કર્યેા, જે એક ગ્રામીણને વાગ્યો અને તે ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં હોસ્પિટલમાં લઈ જતી વખતે તેનું મોત નીપયું.તો બીજી તરફ આક્રોશિત ટોળાએ કાર સવારોને માર મારતા ૩ના મોત થયા હતા અને એકને ગંભીર ઇજા પહોચી હતી.
આ ઘટના જપલા–નબીનગર રોડ પર ઔરંગાબાદના નબીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટેટિ્રયાન ટર્ન પાસે બની હતી. ગોળીઓને કારણે મૃત્યુ પામેલા વ્યકિતની ઓળખ રામશરણ ચૌહાણ (૬૦) તરીકે થઈ છે, જે નબીનગર પોલીસ સ્ટેશનના મહત્પઆરી ગામના રહેવાસી છે. કાર સવારો પડોશી રાય ઝારખંડના રહેવાસી હતા. જેમની ઓળખ મોહમ્મદ મુજાહિદ, ચરણ મન્સૂરી અને મોહમ્મદ અન્સારી તરીકે થઈ છે.પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે.
ઔરંગાબાદના ડીએસપી મોહમ્મદ અમાનુલ્લા ખાનના જણાવ્યા અનુસાર, આ ઘટના નબીનગર વિસ્તારમાં બની હતી યાં એક દુકાનદારે તેની દુકાનની સામે કાર પાર્ક કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.ડીએસપીએ કહ્યું કે આ પછી કારમાં બેઠેલા એક વ્યકિતએ કથિત રીતે પિસ્તોલ કાઢી અને ગોળીબાર કર્યેા, જેમાં એક વૃદ્ધ રાહદારીનું મોત થયું. તેણે કહ્યું કે આનાથી સ્થાનિક લોકો ગુસ્સે થયા અને તેઓએ કારમાં બેઠેલા લોકોને માર માર્યેા, જેના કારણે ત્રણ લોકોના મોત થયા યારે બે ઘાયલ થયા. ઘટનામાં બે અલગ–અલગ સમુદાયના સભ્યો સામેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech